મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, બસમાં લાગેલી આગમાં આટલી જિંદગી હોમાઈ, સીએમે શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-07-01 11:56:11

આપણે બસ મુસાફરી કરી રહ્યા હોઈએ અને એ બસ મુસાફરી આપણી અંતિમ યાત્રામાં ફેરવાઈ જાય તો? યાત્રા કરતી વખતે આપણને એવું હોય કે આપણે આપણા ડેસ્ટિનેશન પહોંચી શું, પરંતુ ઘણી વખત તે બસને અકસ્માત નડતો હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કે કારણ કે મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બસ પોલ સાથે અથડાઈ જતા અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ હતી. જેને કારણે બસમાં આગ લાગી ગઈ અને 26 લોકો બળીને મોતને ભેટ્યા હતા. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે સર્જાઈ હતી. મહત્વનું છે કે બસની બારીના કાચ તોડીને આઠ લોકોને બચાવી લેવાયા હતા. બસમાં 33 લોકો સવાર હતા.

 

મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અક્માત 

અકસ્માતની સંખ્યા પ્રતિદિન વધી ગઈ છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ અકસ્માતના સમાચારો સામે આવતા રહે છે જેમાં આટલા લોકોના મોત થયા છે આટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બન્યો છે. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક બસ પોલ સાથે ભટકાઈ તે બાદ ડિવાઈડર સાથે ભટકાઈ અને તે બાદ આખી બસ પલટી ગઈ અને અંતે બસ સળગી ગઈ.

26 લોકો બળીને થયા ખાખ  

આ બસમાં 33 લોકો સવાર હતા. 26 લોકો બસમાં લાગેલી આગમાં હોમાઈ ગયા છે. અંદાજીત આઠ લોકોને બચાવી લેવામાં  આવ્યા છે. આ અકસ્માતમાં ડ્રાઈવરનો જીવ પણ બચી ગયો છે. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત સર્જાયો છે. જે બાદ ડીઝલની ટાંકીમાં આગ લાગી હતી જેને કારણે બસમાં આગ ફેલાઈ ગઈ અને આ અકસ્માત સર્જાયો.   

આ રીતે બસ સાથે સર્જાઈ દુર્ઘટના 

જે બસને અકસ્માત નડયો હતો તે લકઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, તે વચ્ચે જ આ અકસ્માત સર્જાયો છે. રાત્રે  લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ભીષણ અકસ્માત સર્જાયો છે. જે લોકોને બચાવવામાં આવ્યા છે તેમની હાલત પણ ગંભીર છે. 7 જેટલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા છે. અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે. પાંચ લાખની સહાય આપવામાં  આવશે. આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં  આવી છે. 


અનેક વખત સર્જાયા છે ભીષણ રોડ અકસ્માત

આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં બસને અકસ્માત નડ્યો હોય અને લોકોના જીવ ગયા હોય. એપ્રિલ 2023માં પૂણે-બેંગ્લૂરૂ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં ચાર જેટલા લોકોના મોત થયા હતા. તે સિવાય પણ મધ્યપ્રદેશમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો હતો જેમાં બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 11 જેટલા લોકોના મોત થયા હતા. 


આટલા લોકોએ ગુમાવ્યા છે જીવ 

તે સિવાય મહારાષ્ટ્રમાં  એપ્રિલ 2023માં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બસ ખાઈમાં પડી ગઈ હતી અને 13 જેટલા લોકોના મોત થયા છે. તે પહેલા કલોલમાં પણ પાંચ મુસાફરોના એસટી બસની અડફેટે આવતા મોત નિપજ્યાં હતા. તે પહેલા આગરામાં પણ  ટેન્કરની પાછળ બસ ઘૂસી જતા અનેક લોકોના મોત થયા હતા. થોડા સમય પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો તેમાં બસની ટક્કરથી 6 લોકોના મોત થયા છે.       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!