દેશના આ રાજ્યોમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-29 10:14:13

અકસ્મતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થતા હોય છે. ત્યારે ગંભીર રોડ અકસ્માત આસામના ગુવાહટીમાં બન્યો છે જેમાં 7 જેટલા  લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે સિવાય કર્ણાટકમાં પણ ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. 

  

આ મામલે પોલીસ કરી રહી છે તપાસ

રોડ અકસ્માતમાં અનેક પરિવારો પોતાના વ્હાલ સોયાને ગુમાવતા હોય છે. અકસ્માતમાં પરિવારજનના મોતથી પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે. ત્યારે આસામના ગુવાહાટીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત સાત જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે વિદ્યાર્થીઓ હતા. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. પ્રારંભિક તપાસ અનુસાર મૃતકો વિદ્યાર્થીઓ હતા અને આ દુર્ઘટના ગુવાહાટીના જલુકબારી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બની છે.        


કર્ણાટકમાં પણ સર્જાયો અકસ્માત! 

કર્ણાટકમાં પણ રોડ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કર્ણાટકના કોપ્પલ જિલ્લા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ગાડીની ટ્રક સાથેની ટક્કર થતાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.મૃતકોમાં બે બાળકો સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતી અને કારમાં તેઓ બેંગ્લુરૂ જઈ રહ્યા હતા, જ્યારે ટ્રક ગુજરાત આવી રહી હતી. તે સમય દરમિયાન આ અકસ્માત થયો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ મૃતકોને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.