બનાસકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુકાનો સાથે અથડાયા બાદ પલટી ગાડી, ટક્કરથી ગયો આટલા લોકોનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-03 15:53:14

આપણે ઘણી વખત ફિલ્મોમાં પોલીસને ચોર પાછળ ભાગતી જોઈ હશે એ ફિલ્મ છે માટે એમાં પોલીસ ચોરને પકડી લે છે પણ હકીકતમાં આવું થાય છે તેની ગેરંટીથી ન કહી શકાય. ચોર પોલીસની પકડમાં આવે પણ ખરો અને ન પણ આવે. પણ આવા જ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના હાઈવે પર બન્યા હતા. જ્યા પોલીસના ખાનગી માણસો દારૂની હેરાફેરા કરનાર માણસોને પકડવા જતા હતા પણ તેમની સ્કોર્પિયો ગાડીની ઝડપ એટલી વધારે હતી કે પોલીસના બાતમીદાર લોકોનો જ ભયાનક અકસ્માત થઈ ગયો.. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. 


સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત 

બનાસકાંઠામાં એક ગામ આવેલું છે જેનું નામ છે ચોરા પરબડી, આ ગામમાં દારૂની ખેપ લાગી હતી તેની માહિતી મળી તો પોલીસના ખાનગી લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસના લોકોને જોઈ દારુની ખેપ મારતા લોકો ગાડી લઈને ભાગ્યા હતા. ભાગેલા લોકોનો પોલીસના લોકોએ સ્કોર્પિયો ગાડીમાં પીછો કર્યો હતો. પણ તે દરમિયાન થરાદ ધાનેરાનો હાઈવે આજ પરોઢના સમયે રક્તરંજિત થયો..  કારણ કે પોલીસના બાતમીદાર લોકોની સ્કોર્પિયો ગાડી એટલી ઝડપથી પીછો કરી રહી હતી કે ડ્રાઈવર હેન્ડલ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડીને ડીવાઈડર સાથે ધડામ દઈને અથડાઈ. 


અકસ્માતમાં થયા અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ

સ્કોર્પિયો ગાડી અથડાતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત છે. ત્રણેય ઈજાગ્રસ્ત લોકોની બનાસકાંઠાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો ગાડીના પૂરજે પૂરજા અલગ થઈ ગયા હતા. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે પોલીસના બાતમીદારો સાથે પોલીસ જવાનો પણ સ્કોર્પિયો ગાડીમાં હતા પણ બનાસકાંઠા પોલીસે હજું આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. અત્યાર સુધી એ જ સામે આવ્યું છે કે પોલીસના મિત્રો અથવા પોલીસના બાતમીદારો અથવા પોલીસના ખાનગી માણસો દારુની ખેપ લગાવતી ગાડીનો પીછો કરતા હતી અને તે દરમિયાન ઝડપના કારણે ગાડીનો અકસ્માત થઈ ગયો હતો અને આ દુર્ઘટના ઘટી છે.


શું છે સમગ્ર ઘટના?

સમાચારની વિગત મેળવવામાં આવી તો ખબર પડી કે સ્કોર્પિયો ગાડીનો દારૂ વેચતી અથવા દારૂની ખેપ લગાવતી ગાડીનો પીછો કરી રહ્યા હતા. સ્કોર્પિયો ગાડી દારુની હેરાફેરી કરતા લોકોને પકડવા માગતા હતા પણ એવું થઈ શક્યું ન હતું. જો કે દુર્ઘટના ઘટ્યા બાદ બનાસકાંઠાના ધાનેરાના પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઓળખ કરી તો ખબર પડી છે કે મૃતક લોકો પમરુ ગામના હતા. મૃતકોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વધુ વિગતો જેમ જેમ સામે આવશે તેમ અમે જણાવતા રહીશું. મહત્વનું છે કે બે દિવસ પહેલા પણ બનાસકાંઠાના અમીરગઢમાં આવો જ ભયાનક અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!