બનાસકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુકાનો સાથે અથડાયા બાદ પલટી ગાડી, ટક્કરથી ગયો આટલા લોકોનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-03 15:53:14

આપણે ઘણી વખત ફિલ્મોમાં પોલીસને ચોર પાછળ ભાગતી જોઈ હશે એ ફિલ્મ છે માટે એમાં પોલીસ ચોરને પકડી લે છે પણ હકીકતમાં આવું થાય છે તેની ગેરંટીથી ન કહી શકાય. ચોર પોલીસની પકડમાં આવે પણ ખરો અને ન પણ આવે. પણ આવા જ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના હાઈવે પર બન્યા હતા. જ્યા પોલીસના ખાનગી માણસો દારૂની હેરાફેરા કરનાર માણસોને પકડવા જતા હતા પણ તેમની સ્કોર્પિયો ગાડીની ઝડપ એટલી વધારે હતી કે પોલીસના બાતમીદાર લોકોનો જ ભયાનક અકસ્માત થઈ ગયો.. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. 


સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત 

બનાસકાંઠામાં એક ગામ આવેલું છે જેનું નામ છે ચોરા પરબડી, આ ગામમાં દારૂની ખેપ લાગી હતી તેની માહિતી મળી તો પોલીસના ખાનગી લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસના લોકોને જોઈ દારુની ખેપ મારતા લોકો ગાડી લઈને ભાગ્યા હતા. ભાગેલા લોકોનો પોલીસના લોકોએ સ્કોર્પિયો ગાડીમાં પીછો કર્યો હતો. પણ તે દરમિયાન થરાદ ધાનેરાનો હાઈવે આજ પરોઢના સમયે રક્તરંજિત થયો..  કારણ કે પોલીસના બાતમીદાર લોકોની સ્કોર્પિયો ગાડી એટલી ઝડપથી પીછો કરી રહી હતી કે ડ્રાઈવર હેન્ડલ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડીને ડીવાઈડર સાથે ધડામ દઈને અથડાઈ. 


અકસ્માતમાં થયા અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ

સ્કોર્પિયો ગાડી અથડાતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત છે. ત્રણેય ઈજાગ્રસ્ત લોકોની બનાસકાંઠાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો ગાડીના પૂરજે પૂરજા અલગ થઈ ગયા હતા. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે પોલીસના બાતમીદારો સાથે પોલીસ જવાનો પણ સ્કોર્પિયો ગાડીમાં હતા પણ બનાસકાંઠા પોલીસે હજું આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. અત્યાર સુધી એ જ સામે આવ્યું છે કે પોલીસના મિત્રો અથવા પોલીસના બાતમીદારો અથવા પોલીસના ખાનગી માણસો દારુની ખેપ લગાવતી ગાડીનો પીછો કરતા હતી અને તે દરમિયાન ઝડપના કારણે ગાડીનો અકસ્માત થઈ ગયો હતો અને આ દુર્ઘટના ઘટી છે.


શું છે સમગ્ર ઘટના?

સમાચારની વિગત મેળવવામાં આવી તો ખબર પડી કે સ્કોર્પિયો ગાડીનો દારૂ વેચતી અથવા દારૂની ખેપ લગાવતી ગાડીનો પીછો કરી રહ્યા હતા. સ્કોર્પિયો ગાડી દારુની હેરાફેરી કરતા લોકોને પકડવા માગતા હતા પણ એવું થઈ શક્યું ન હતું. જો કે દુર્ઘટના ઘટ્યા બાદ બનાસકાંઠાના ધાનેરાના પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઓળખ કરી તો ખબર પડી છે કે મૃતક લોકો પમરુ ગામના હતા. મૃતકોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વધુ વિગતો જેમ જેમ સામે આવશે તેમ અમે જણાવતા રહીશું. મહત્વનું છે કે બે દિવસ પહેલા પણ બનાસકાંઠાના અમીરગઢમાં આવો જ ભયાનક અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.