રાજકોટમાં પાંચમા ધોરણની છોકરીને ટ્યુશનમાં નહોતું જવું એટલે તેણે પોતાના જ અપહરણની ખોટી યોજના બનાવી


  • Published By :
  • Published Date : 2023-09-15 17:55:57

આજે સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનની રિંગ વાગી, કહેવામાં આવ્યું કે કોઈએ અમારી દીકરીનું અપહરણ કરી લીધું છે. બાળકી ખાલી દસ જ વર્ષની હતી માટે રાજકોટ પોલીસના 80 જેટલા જવાનો અને અધિકારીઓ બાળકીને શોધવા શહેરના રસ્તાઓ પર ઉતરી ગયા, આટલી શોધખોળ અને શહેરની નાકાબંધી બાદ પણ બાળકીનો કંઈ પત્તો ન લાગતા પોલીસે લાગણીશીલ થવાની જગ્યાએ પોલીસ થઈને વિચાર્યું અને તપાસ કરી. તપાસ પછી ખબર પડી કે દસ વર્ષની બાળકીનું અપહરણ નહોતું થયું. બાળકીએ હોમવર્ક નહોતું કર્યું માટે તેને ટ્યૂશનમાં નહોતું જવું. આથી બાળકીએ અપહરણ કર્યાની યોજના ઘડી હતી. 

10 વર્ષની છોકરીએ લેસન નહોતું કર્યું એટલે અપહરણનું બહાનું બનાવ્યું

500 children a year abducted from UK | Children | The Guardian

આજે રાજકોટ શહેરના પોપટપરાના કૃષ્ણનગરમાં રહેતા પરિવારની પાંચમાં ધોરણમાં ભણતી દસ વર્ષની દીકરી સવારે ફોણા નવ વાગ્યે ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી. ટ્યુશનનો રસ્તો અલગ હતો પણ છોકરી અલગ વિસ્તારમાં પહોંચીને રડવા લાગી. રડતી નાની છોકરી પર લોકોનું ધ્યાન જતાં તેણે છોકરીને પૂછ્યું હતું કે શું થયું. તો તેણે જણાવ્યું હતું કે મારું કોઈએ અપહરણ કરી લીધું હતું. પછી લોકોએ છોકરીના વાલીને ફોન કર્યો હતો અને પૂરી ઘટનાની જાણ કરી હતી. વાલીઓએ ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી. માનવ તસ્કરી બહુ ગંભીર ઘટના હોવાના કારણે પ્રદ્યુમન નગર પોલીસ, એ ડિવિઝન પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને સ્પેશિયલ ગ્રુપ, ક્રાઈમ બ્રાન્ચ, અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના જેસીબી, 2 ડિસીપી, 2 એસીપી, 4 પીઆઈ અને અનેક પીએસઆઈ સહીત 80 જેટલા પોલીસ જવાનો રાજકોટના રસ્તા પર અપહરણ કર્તાઓને શોધવા માટે નીકળી ગયા હતા. જ્યારે બાળકીની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે થાર ગાડી હતી અને લોકોએ માસ્ક પહેર્યું હતું. પોલીસે તમામ જગ્યાના સીસીટીવી તપાસ્યા પણ કાળા રંગની થાર એ વિસ્તારમાંથી નીકળી ન હતી. પોલીસે બાળકીના સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે બાળકી તો ટ્યૂશન તરફ જવાની જગ્યાએ બીજા રસ્તા પર નીકળી હતી તો મહિલા પોલીસે પ્રેમથી બાળકીને પૂછ્યું કે તમે ટ્યુશનની જગ્યાએ ઉંધા રસ્તે કેમ જઈ રહ્યા છો ત્યારે બાળકી ફસાઈ ગઈ હતી અને સાચુ કહી દીધું હતું કે મેં હોમવર્ક નહોતું કર્યું એટલે મારે ટ્યૂશન નહોતું જવું, એટલે તેણે આ યોજના ઘડી હતી અને અપહરણનું નાટક કર્યું હતું જેથી તેને ટ્યૂશન ન જવું પડે. 


આ એક અતિ ગંભીર ઘટના હતી અને પોલીસે કેસ પતાવીને રાહતનો શ્વાસ લીધો હતો. તમે આ વીડિયો જોઈ રહ્યા છો અને તમારા પરિવારમાં નાના બાળકો હોય તો નાના બાળકોને આ ઘટના વીશે સમજાવો કે શું સારુ છે શું ખરાબ છે. આવું ન કરવું જોઈએ. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!