ભારતનું એક એવું મંદિર જ્યાં પાણીના ટીપાં પરથી કરાય છે વરસાદની આગાહી, જાણો ક્યાં આવેલું છે મંદિર અને શું છે તેની વિશેષતા?


  • Published By :
  • Published Date : 2023-06-29 12:00:24

થોડા સમય પહેલા જ રથયાત્રા આવીને ગઈ. જ્યારે રથયાત્રાની વાત થતી હોય ત્યારે આપણને યાદ આવે અમદાવાદનું જગન્નાથ મંદિર અને ઓડિશાનું જગન્નાથ મંદિર આ બંને મંદિરો દેશમાં ખુબજ પ્રખ્યાત છે મંદિરના દર્શનાર્થે  દેશવિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. જો કે એક જગન્નાથ મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ આવેલું છે અને તે મંદિર એટલા માટે ખાસ છે કેમકે તે મંદિરથી વરસાદનો વર્તારો મેળવે છે. આ મંદિરના ગુંબજ પરથી પડતુ પાણી અને પાણીના ટીપાની ધાર પરથી નક્કી થાય છે કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain-is-predicted' title='Rain is predicted'>Rain is predicted</a> at the <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/temple-of-lord-jagannath' title='temple of Lord Jagannath'>temple of Lord Jagannath</a> at Behta Burjag village in Ghatampur

પાણીના ટીપા પરથી લગાવાય છે વરસાદનો અંદાજ

આપણા દેશમાં ચોમાસું ક્યારે બેસશે અને વરસાદ કેવો રહેશે એ જાણવા માટે આપણે હવામાન વિભાગ, મીડિયામાં આવતા સમાચારો પર આધારિત હોઈએ છીએ જો કે કાનપુરના આ મંદિરમાં જે રીતે વરસાદનું અનુમાન લેવામાં આવે છે તેના પરથી એવું લાગે છે જાણે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ તેમાં સમાયેલા છે. આ મંદિરને લોકો ખૂબ અલગ અલગ નામથી બોલાવે છે કેટલાક લોકો તેને મોસમ મંદિર કહે છે. કેટલાક રહસ્ય મંદિર પણ કહે છે. રહસ્ય એટલા માટે કેમકે ચોમાસુ બેસવાના 10 થી 15 દિવસ પહેલા જ આ મંદિરના ગુંબજ પર પાણીના ટીપાં પડવા માંડે છે. જો આ પાણીના ટીપાની સતત ધાર પડતી રહે છે. વેગમાં પડતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે ચોમાસુ સારું રહેશે, અને જો ગુંબજ કોરો રહી જાય તો તેનો અર્થ એવો થાય કે ચોમાસુ સારું નહિ રહે. ગુંબજની જે પરિસ્થિતિ હોય તેના પરથી ખેડૂતો તેમનું ખેતીકામ આગળ ધપાવે છે. 


પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે રહસ્યનું સંશોધન

મંદિરની ખાસ વાત તો એ છે કે મંદિરમાંથી દર વર્ષે જે સંકેત મળે છે તે આજ સુધી ક્યારેય ખોટા સાબિત થયા નથી. એટલે કે ચોમાસુ એવું જ રહે છે જેવો મંદિરમાંથી સંકેત મળે છે. ભારતીય પુરાતત્વ વિભાગના અનેક અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્યનું સંશોધન કરી રહ્યા છે. પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ પણ કર્યું છે જેના પરથી વિગતો મળી છે કે આ મંદિર 4000 વર્ષ જૂનું છે.


મંદિરના ચમત્કારો અંગે થાય છે દેશભરમાં ચર્ચા

ભગવાન જગન્નાથના આ મંદિરના નિર્માણને લઈને ઈતિહાસકારો અને પુરાતત્વવિદોમાં મતભેદ છે. ગર્ભગૃહની અંદર અને બહાર કોતરવામાં આવેલી આકૃતિઓ અનુસાર, આ મંદિર બીજી અને ચોથી સદીની વચ્ચે બંધાયેલું હોવું જોઈએ. જો કે આ મંદિર તેના ચમત્કારો માટે દેશભરમાં ખ્યાતિ પામેલું છે.. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ મંદિરના રથયાત્રા ઉત્સવમાં ભાગ લે છે.. આવી અવનવી વાતોના વીડિયો અમે આપના સુધી પહોંચાડતા રહીશું. 



હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?