ઉત્તરાયણના તહેવાર દરમિયાન આવતા ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, વધારાઈ એમ્બ્યુલન્સની સંખ્યા


  • Published By :
  • Published Date : 2023-01-14 11:29:30

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થાય છે. ઈમરજન્સી કેસની સંખ્યાના આંકડા વધતા જોવા મળે છે. ત્યારે સવારના 9 વાગ્યા સુધી 108ની ટીમને 807થી વધુ કોલ આવી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 698 પર હતો. 


પતંગની દોરીને કારણે થાય છે ગંભીર અકસ્માત 

આજકાલ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ સમયે પતંગની દોરીને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ગળું કપાવાને કારણે ટાંકા લેવા પડતા હોય છે અને અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઈમરજન્સી કોલ્સમાં પણ વધારો થાય છે. અનેક લોકોનો અકસ્માત થાય છે. પર્વને લઈ 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે. 


108ની ટીમે વધારી એમ્બ્યુલન્સની સંખ્યા 

તહેવારને પગલે એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ તેમજ એક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પક્ષીઓને પણ પતંગની દોરીને કારણે ઈજા પહોંચતી હોય છે. તેમને પણ સારવાર મળી રહે છે તે માટે કરૂણા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!