ઉત્તરાયણના તહેવાર દરમિયાન આવતા ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, વધારાઈ એમ્બ્યુલન્સની સંખ્યા


  • Published By :
  • Published Date : 2023-01-14 11:29:30

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થાય છે. ઈમરજન્સી કેસની સંખ્યાના આંકડા વધતા જોવા મળે છે. ત્યારે સવારના 9 વાગ્યા સુધી 108ની ટીમને 807થી વધુ કોલ આવી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 698 પર હતો. 


પતંગની દોરીને કારણે થાય છે ગંભીર અકસ્માત 

આજકાલ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ સમયે પતંગની દોરીને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ગળું કપાવાને કારણે ટાંકા લેવા પડતા હોય છે અને અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઈમરજન્સી કોલ્સમાં પણ વધારો થાય છે. અનેક લોકોનો અકસ્માત થાય છે. પર્વને લઈ 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે. 


108ની ટીમે વધારી એમ્બ્યુલન્સની સંખ્યા 

તહેવારને પગલે એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ તેમજ એક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પક્ષીઓને પણ પતંગની દોરીને કારણે ઈજા પહોંચતી હોય છે. તેમને પણ સારવાર મળી રહે છે તે માટે કરૂણા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.