બિહારના શિક્ષકે વિદ્યાર્થીઓને ધરાર ગરોળી ખવડાવવાનો વાલીઓનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:27:31

બિહારના મદત્તપુર ગામમાં મધ્યાહ્ન ભોજન ખાધા પછી બાળકો બીમાર થઈ ગયાની ફરિયાદ સામે આવી રહી છે. મધ્યાહ્ન ભોજનમાં ગરોળી ખાધા બાદ 200 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


ગરોળી નહીં રીંગણની દાંડી છે જમી લોઃ શિક્ષક

મદત્તપુર ગામની શાળામાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા ત્યારે એક છોકરી આવીને કહી રહી હતી કે જમવામાં ગરોળી છે. આ સાંભળીને ત્યાંના શિક્ષકે વિદ્યાર્થી પર ગુસ્સે થયા હતા અને જણાવ્યું હતું કે રીંગણની દાંડી છે જમી લો. જમ્યા બાદ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા અને ઉલટી થવા લાગી હતી. 200 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.


હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.