Pakistanમાં ફરી એક વખત કરાઈ સર્જિકલ સ્ટ્રાઈક! આ દેશે કર્યા આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કરવાનો દાવો, જાણો પાકિસ્તાને શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-01-17 11:41:24

થોડા સમય પહેલા પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એર સ્ટ્રાઈક થયો હોવાનો દોવા કરવામાં આવી રહ્યો છે. આ વખતે એર સ્ટ્રાઈક ભારત દ્વારા નહીં પરંતુ ઈરાન દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠનના બે ઠેકાણા પર ઈરાન દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાન દ્વારા પણ આ અંગેની પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવે છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે નિર્દોષ બાળકોના મોત થઈ ગયા છે જ્યારે ત્રણ છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી અનુસાર ઈરાન દ્વારા આ સ્ટ્રાઈક મંગળવારે કરવામાં આવી હતી. 

iran attack pakistan

(પ્રતિક્રાત્મક તસવીર)

ઈરાન દ્વારા જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો હુમલો  

પાકિસ્તાનમાં સુન્ની બલોચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ એટલે કે IRGC દ્વારા કરવામાં આવ્યો છે. બે ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે જૈશ અલ અદલ પર હુમલો કરવામાં આવ્યો છે તેનું ગઠન 2012માં થયું હતું. આ સંગઠનને ઈરાન આતંકવાદી સંગઠન માનતું હતું. તે એક સુન્ની આતંકવાદી જૂથ છે જે સિસ્તાન-બલુચિસ્તાન, દક્ષિણ-પૂર્વ પ્રાંત રણમાં સ્થિત છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.

શું કહ્યું આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે?

આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવદેન બહાર પાડવામાં આવ્યું છે જેમાં આ ઘટનાને પૂર્ણ રીતે અસ્વીકારીય ગણાવી છે. આ ઘટનાની નિંદા કરી છે. તેમજ કહ્યું છે કે આના ગંભીર પરિણામ આવી શકે છે. પાકિસ્તાન હંમેશા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે સમાન ખતરો છે. આ માટે સાથે મળીને કાર્યવાહી થઈ શકે છે. એકપક્ષીય કાર્યવાહી એ સારા પાડોશીની નિશાની નથી. આ કાર્યવાહી દ્વિપક્ષીય વિશ્વાસને ગંભીરપણે નબળી પાડે છે. 




Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .