Vadodara દુર્ઘટનાને લઈ Gujarat HighCourtમાં સુઓમોટો દાખલ કરાઈ, જાણો આ મામલે પોલીસ તપાસ દરમિયાન શું આવી નવી અપડેટ?


  • Published By :
  • Published Date : 2024-01-22 10:20:10

વડોદરા હરણી તળાવમાં થોડા દિવસ પેહલા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 12 જેટલા નિર્દોષ બાળકોના મોત થઈ ગયા હતા. ઓવરલોડેડ બોટ પલટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ઉપરાંત બાળકોને સુરક્ષા માટે લાઈફ જેકેટ પણ આપવામાં ન આવ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પિકનીક માટે ગયેલા બાળકોના મૃતદેહ ઘરે આવ્યા હતા. આ મામલામાં એવી માહિતી સામે આવી છે કે હાઈકોર્ટે સુઓમોટો પિટિશનને સ્વીકારી લીધી છે. આ ઘટનાની નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી છે. એક્શન ટેક્ન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હરણી લેકમાં સર્જાઈ હતી દુર્ઘટના 

થોડા સમય પહેલા મોરબીમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં 150 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ હતો. સરકાર પણ આ દુર્ઘટના બાદ એક્ટિવ થઈ ગઈ હતી અને અનેક જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવા કિસ્સાઓ સર્જાય તે બાદ થોડા દિવસ સુધી કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પછી જેમ જેમ સમય વિતી જાય છે તે બાદ આવી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. થોડા દિવસો પહેલા વડોદરાના હરણી લેકમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાળકોના જીવ ગયા છે. 

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો |  Gujarat News in Gujarati

ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની લીધી નોંધ! 

12 જેટલા બાળકો અને 2 શિક્ષકો દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે આ કેસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને કોર્ટે સુઓમોટો પિટિશન સ્વીકારી છે. આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે એવી માહિતી પણ સામે આવી છે કે હરણી તળાવ બોટ ટ્રેજેડી મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવા લાગ્યાં છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટી માહિતી જાહેર કરી છે. 



આ મામલે શું કહ્યું વડોદરા પોલીસ કમિશનરે?   

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું કે આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોટ ઓપરેટરને ફક્ત તરતા જ આવડતું હતું. તેની પાસે હોડી ચલાવવાની ક્ષમતા નહોતી. તેને ત્યાં નિલેશ જૈને મૂક્યો હતો. કમિશનરે જણાવ્યું હતું કે, બોટ પરના સહાયકને તરતા પણ આવડતું નથી. આ બધી બાબતો બેદરકારી દર્શાવે છે. આથી આરોપીઓ માટે એલઓસી જાહેર કરાઈ છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!