લાંબા સમયથી ફરજ નિભાવતા અધિકારીઓની કરાઈ એકાએક બદલી! CM સિક્યોરિટીના 5 DySPની તાત્કાલિક અસરથી બદલી થતાં અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-04-27 10:22:57

ગુજરાતના મુખ્યમંત્રીની સિક્યુરિટીના એકાએક ફેરફાર કરાયા છે. પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ ડીવાયએસપીની બદલીની નોટીસ મળતાં અનેક તર્ક વિર્તકો સર્જાયા છે. સીએમની સિક્યુરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂંક કરવામાં આવી છે અને બદલાયેલા પાંચેય અધિકારીને વેઈટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ આપવામાં આવ્યો છે. 


પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી કરાઈ બદલી!

જે અધિકારીઓને બદલીનો આદેશ આપવામાં આવ્યો છે તેમની વાત કરીએ તો, રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશ કુમાર ઝાનું નામનો સમાવેશ પાંચ નાયબ પોલીસ અધિક્ષકની બદલીનો ઓર્ડર કર્યો છે. પાંચ અધિકારીને પ્રતીક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. સીએમ સિક્યુરિટીમાં રહેલા તમામ અધિકારીને તાત્કાલિક બદલી કરાયેલી જગ્યાએ હાજર થવા આદેશ આપ્યો છે. 


77 આઈપીએસની કરાઈ હતી બદલી!

કુલદિપ શર્માને સીએમ સિક્યોરિટી-1, સલામતી શાખામાં બદલી કરવામાં આવી છે. ડી.વી.પટેલને આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યુરિટી ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. પી.ડી વાઘેલાને સીએમ સિક્યુરિટી-3,સલામતી શાખા ગાંધીનગર ખાતે મૂકાયા છે. એચ.બી.ચૌધરીની બદલી આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યોરિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આર.એલ.બારડને સીએમ સિક્યોરિટી-2 ગાંધીનગર ખાતે મૂકાયા છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા 77 આઈપીએસની બદલી કરવામાં આવી હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.