લાંબા સમયથી ફરજ નિભાવતા અધિકારીઓની કરાઈ એકાએક બદલી! CM સિક્યોરિટીના 5 DySPની તાત્કાલિક અસરથી બદલી થતાં અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-04-27 10:22:57

ગુજરાતના મુખ્યમંત્રીની સિક્યુરિટીના એકાએક ફેરફાર કરાયા છે. પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ ડીવાયએસપીની બદલીની નોટીસ મળતાં અનેક તર્ક વિર્તકો સર્જાયા છે. સીએમની સિક્યુરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂંક કરવામાં આવી છે અને બદલાયેલા પાંચેય અધિકારીને વેઈટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ આપવામાં આવ્યો છે. 


પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી કરાઈ બદલી!

જે અધિકારીઓને બદલીનો આદેશ આપવામાં આવ્યો છે તેમની વાત કરીએ તો, રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશ કુમાર ઝાનું નામનો સમાવેશ પાંચ નાયબ પોલીસ અધિક્ષકની બદલીનો ઓર્ડર કર્યો છે. પાંચ અધિકારીને પ્રતીક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. સીએમ સિક્યુરિટીમાં રહેલા તમામ અધિકારીને તાત્કાલિક બદલી કરાયેલી જગ્યાએ હાજર થવા આદેશ આપ્યો છે. 


77 આઈપીએસની કરાઈ હતી બદલી!

કુલદિપ શર્માને સીએમ સિક્યોરિટી-1, સલામતી શાખામાં બદલી કરવામાં આવી છે. ડી.વી.પટેલને આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યુરિટી ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. પી.ડી વાઘેલાને સીએમ સિક્યુરિટી-3,સલામતી શાખા ગાંધીનગર ખાતે મૂકાયા છે. એચ.બી.ચૌધરીની બદલી આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યોરિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આર.એલ.બારડને સીએમ સિક્યોરિટી-2 ગાંધીનગર ખાતે મૂકાયા છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા 77 આઈપીએસની બદલી કરવામાં આવી હતી.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!