કુંવરજી બાવળીયાની શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત, પરિવારજનોને હત્યા થઈ હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-27 16:52:53

થોડા દિવસો પહેલા રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. વિંછીયાના અમરાપરામાં આવેલી કુંવરજી બાવળીયાની આદર્શ સ્કુલમાં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ એકાએક આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો. આ મોત મામલે કોળી વિકાસ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાજલે ત્રાસ અથવા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. 


મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રાજકોટના વિંછીયાના અમરાપરમાં કુંવરજી બાવળીયાની શાળા આવેલી છે. આ શાળામાં 10માં ધોરણમાં ભણતી કાજલે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ અચાનક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. મોત મામલે કોળી વિકાસ સમાજના આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીને તપાસ સોપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 


ગળેફાંસો ખાઈ વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું હતું જીવન 

કોળી સમાજના આગેવાને પત્રમાં લખ્યું કે કાજલના પિતાને 23મી જાન્યુઆરીએ રાત્રે ફોન આવે છે અને સરકારી હોસ્પિટલ મળવા બોલાવે છે, ત્યાં તેમને દીકરીની લાશ મળે છે અને મૌખિક જાણ કરવામાં આવે છે. તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરંતુ જ્યાં મૃત્યું થયું તે જગ્યાએ પોલીસ પણ નથી પહોંચી કે અમને પણ નથી જાણ કરાઈ. સીધા સરકારી દવાખાને પોલીસ અને પરિવારજનોનને જાણ કરવામાં આવી. 


ઉપવાસ પર ઉતરવાની આપી ચીમકી 

પત્રમાં વધુમાં લખવામાં આવ્યું કે અમને લાગે છે કે દીકરીને ખૂબ ત્રાસ આપવાથી તથા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. આક્ષેપ લગાવતા કહ્યું કે આ અગાઉ પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીનીઓના મોત આવી રીતે થયા હતા. ત્યારે પરિવારજનોએ તટસ્થ તપાસની માગ કરી છે. જો દીકરીના મોતનું સાચું કારણ જાણવા નહીં મળે તો ન્યાય માટે ધરણા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.        




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!