સુરતમાં ધો.9માં ભણતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, માતા-પિતાએ આગળ અભ્યાસ કરવાનું કહેતા ટૂંકાવ્યું જીવન!


  • Published By :
  • Published Date : 2023-03-06 14:00:30

નાની નાની વાતો પર શાળામાં ભણતા બાળકો આપઘાત કરી રહ્યા છે. આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની દસમાં ધોરણમાં અભ્યાસ કરવા માગતી ન હતી. પરંતુ વિદ્યાર્થીનીના માતા પિતાનું કહેવું હતું કે ધોરણ દસ સુધી અભ્યાસ કરી લે. આગળ ભણવા માટે માતા પિતા દબાણ કરી રહ્યા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


વધુ એક વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન   

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. નાની ઉંમરના લોકો આત્મહત્યા વધુ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતના નાના વરાછામાં ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું જ્યારે આવી ઘટના ફરી એક વખત સુરતમાં બની છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીને આગળ અભ્યાસ ન કરવો હતો પરંતુ તેના માતા-પિતા દસમું ધોરણ પૂરૂ કરવા દબાણ કરતા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા વિદ્યાર્થીનીએ આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.       


વધતા આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાનો વિષય

દિલ પર નાની વાતોને લઈ નાની ઉંમરે બાળકો આપઘાત કરી રહ્યા છે. બાળકો તો આપઘાત કરી લે છે પરંતુ તેમના ગયા પછી પરિવારનું શું થશે તે વિચારતા નથી. બાળકના મોતના સમાચાર સાંભળી માતા-પિતા પર શું આસમાન તૂટી પડતું હોય છે તે બાળકો જાણતા નથી. અવાર-નવાર થતા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ગંભીર વિષય છે.  




હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?