બનાસકાંઠામાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન, પિતાએ ભણવા માટે કહેતા બાળકે કરી લીધી આત્મહત્યા!


  • Published By :
  • Published Date : 2023-04-15 16:28:48

નાની નાની વાતોને આજકાલ બાળકો મન પર લઈ રહ્યા છે. નાની વાતને લઈ એટલું મોટું પગલું ભરી લેતા હોય છે જેનું પરિણામ માતા પિતાને ભોગવવું પડતું હોય છે. ત્યારે બનાસકાંઠામાં 14 વર્ષના બાળકે આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું છે. પિતાએ વાંચવાનું કહેતા ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકે મોતને વ્હાલું કર્યું છે. આ ઘટના બનાસકાંઠાના વાવના ગંભીરપુરામાં બની છે.


ભણવાનું કહેતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની વાતને ધ્યાનમાં રાખી લોકો આપઘાત કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું છે. આ કિસ્સો જે થયો છે તે તમામ માતા પિતાને ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ શકે છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરીક્ષા હોવાને કારણે પિતાએ પુત્રને ભણવા માટે કહ્યું હતું. વાંચવાનું કહેતા પુત્રે આ વાતને દિલ પર લઈ લીધી હતી. વાતની દાજ રાખી બાળકે છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે.


આ પહેલા પણ બની છે આવી ઘટના! 

બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી માતા પિતા દ્વારા અનેક વખત બાળકોને ઠપકો આપવામાં આવતો હોય છે. કોઈ વખત સલાહને, તેમના ઠપકાને સારી રીતે લેવાની બદલીમાં તેને  ઉંધી રીતના લઈ વિદ્યાર્થીઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. પરંતુ તે સલાહને, તે ઠપકાને ધ્યાનમાં રાખી માતા-પિતાના ઠપકાને કારણે બાળકે આવું પગલું ભર્યું હોય તે આ પહેલી ઘટના નથી. 


શું માતા પિતા હવે બાળકોને ઠપકો આપવાનું બંધ કરી દે? 

આ પહેલા પણ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા પિતા દ્વારા કહેવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખી મોટા પગલાં ભરી લેતા હોય છે. કોઈ વખત મોબાઈલ ન આપવાની બાબતને લઈ વિદ્યાર્થીઓ જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે આ વખતે ધોરણ નવમા ભણતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષા હોવાને કારણે પિતાએ બાળકને ભણવા બેસવાનું કહ્યું. આ વાતને દિમાગ પર લઈ વિદ્યાર્થીએ છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે. વ્હાલ સોયા બાળકને ગુમાવ્યા બાદ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ત્યારે બાળકોએ પણ આ મામલે વિચારવું પડશે કે માતા પિતા તમારા ભલા માટે તમને ઠપકો આપતા હોય છે. તેમની વાતોને દિલ પર લઈ કોઈ એવું પગલું ન ભરી લેવાય કે જેને કારણે માતા પિતા આજીવન રડતા રહે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!