બનાસકાંઠામાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન, પિતાએ ભણવા માટે કહેતા બાળકે કરી લીધી આત્મહત્યા!


  • Published By :
  • Published Date : 2023-04-15 16:28:48

નાની નાની વાતોને આજકાલ બાળકો મન પર લઈ રહ્યા છે. નાની વાતને લઈ એટલું મોટું પગલું ભરી લેતા હોય છે જેનું પરિણામ માતા પિતાને ભોગવવું પડતું હોય છે. ત્યારે બનાસકાંઠામાં 14 વર્ષના બાળકે આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું છે. પિતાએ વાંચવાનું કહેતા ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકે મોતને વ્હાલું કર્યું છે. આ ઘટના બનાસકાંઠાના વાવના ગંભીરપુરામાં બની છે.


ભણવાનું કહેતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની વાતને ધ્યાનમાં રાખી લોકો આપઘાત કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું છે. આ કિસ્સો જે થયો છે તે તમામ માતા પિતાને ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ શકે છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરીક્ષા હોવાને કારણે પિતાએ પુત્રને ભણવા માટે કહ્યું હતું. વાંચવાનું કહેતા પુત્રે આ વાતને દિલ પર લઈ લીધી હતી. વાતની દાજ રાખી બાળકે છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે.


આ પહેલા પણ બની છે આવી ઘટના! 

બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી માતા પિતા દ્વારા અનેક વખત બાળકોને ઠપકો આપવામાં આવતો હોય છે. કોઈ વખત સલાહને, તેમના ઠપકાને સારી રીતે લેવાની બદલીમાં તેને  ઉંધી રીતના લઈ વિદ્યાર્થીઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. પરંતુ તે સલાહને, તે ઠપકાને ધ્યાનમાં રાખી માતા-પિતાના ઠપકાને કારણે બાળકે આવું પગલું ભર્યું હોય તે આ પહેલી ઘટના નથી. 


શું માતા પિતા હવે બાળકોને ઠપકો આપવાનું બંધ કરી દે? 

આ પહેલા પણ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા પિતા દ્વારા કહેવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખી મોટા પગલાં ભરી લેતા હોય છે. કોઈ વખત મોબાઈલ ન આપવાની બાબતને લઈ વિદ્યાર્થીઓ જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે આ વખતે ધોરણ નવમા ભણતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષા હોવાને કારણે પિતાએ બાળકને ભણવા બેસવાનું કહ્યું. આ વાતને દિમાગ પર લઈ વિદ્યાર્થીએ છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે. વ્હાલ સોયા બાળકને ગુમાવ્યા બાદ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ત્યારે બાળકોએ પણ આ મામલે વિચારવું પડશે કે માતા પિતા તમારા ભલા માટે તમને ઠપકો આપતા હોય છે. તેમની વાતોને દિલ પર લઈ કોઈ એવું પગલું ન ભરી લેવાય કે જેને કારણે માતા પિતા આજીવન રડતા રહે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.