સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો કેમ વિદ્યાર્થીએ ઘરની અગાસીમાંથી માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-03-25 18:29:15

આજકાલ અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. વીડિયો ઉતારી લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતા હોય છે અને પૈસાની માગણી કરવામાં આવતી હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હનીટ્રેપનો શિકાર બન્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જે બાદ તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીએ પોતાના ઘરની અગાસીથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.   


હનીટ્રેપમાં ફસાયો હતો ધો. 12માં ભણતો વિદ્યાર્થી!

પરિવારે ભારે હૈયે પોતાના બાળકને અંતિમ વિદાય આપી હતી. પોતાના બાળકે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું તે અંગે પરિવાર વિચારી રહ્યો હતો. બાળકના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર સામે એવી હકીકત આવી જેને લઈ પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. વિદ્યાર્થીનો મોબાઈલ તપાસવામાં આવ્યો જેમાં પરિવારજનોને ખબર પડી કે વિદ્યાર્થી હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો અને તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ધો,12ના વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થી પાસે પૈસા પણ માગવામાં આવતા હતા.ટુકડે ટુકડે કરી વિદ્યાર્થી પાસેથી 9600 રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત વધારે પૈસાની માગણી પણ કરવામાં આવી હતી. ત્યારે આને પગલે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.    


પોલીસે ગુન્હો નોંધી હાથ ધરી તપાસ 

આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરિવારજનોના જણાવ્યા બાદ પોલીસ મોબાઈલને લઈ તપાસ કરી રહી છે. જે નંબરથી ફોન અને મેસેજ આવ્યા હતા તેના સીડીઆર કાઢવામાં આવ્યા હતા જે બાદ ખબર પડી કે આ નંબરો બિહાર, ઝારખંડ, કોલકાત્તાથી નંબરો ઝમ્પ થતા હતા. વિદ્યાર્થીએ બ્લેકમેઈલથી કંટાળી આપઘાત કર્યું હોવાનું અનુમાન લડગાડવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રહો સતર્ક! 

મહત્વનું છે સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી વીડિયો કોલ કરવામાં આવે છે. જે બાદ ખરાબ વીડિયો ઉતારવામાં આવે છે અને તે બાદ બ્લેકમેઈલ કરવામાં આવે છે અને પૈસાની માગ કરવામાં આવે છે. ત્યારે બદનામીના ડરથી અનેક લોકો મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ હનીટ્રેપને લઈ સતર્ક રહેવું પડશે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!