કડીમાં રખડતા પશુએ ઘરની બહાર રમી રહેલા બાળક પર કર્યો હુમલો, આંખના ભાગે થઈ ઈજા


  • Published By :
  • Published Date : 2023-02-20 17:44:23

રાજ્યમાં રખડતા પશુ અને શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો આને કારણે ઈજાગ્રસ્ત થાય તો અનેક લોકોના મોત પણ આને કારણે થાય છે. ત્યારે કડીમાં રખડતા પશુના હુમલાને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી છે. કડી શહેરમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં કડી માર્કેટ યાર્ડની સામે આવેલા રેસીડેન્સીમાં રહેતો બાળક રખડતા પશુના હુમલાનો શિકાર બન્યો છે. ઘરની બહાર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને આકાશમાં ઉછાળ્યો. જેને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકને માથાના ભાગમાં અને આંખ પર ઈજાઓ પહોંચી છે. 


બાળકને હવામાં અનેક વખત ઉછાળ્યો 

રાજ્યના અનેક શહેરોમાં આ સમસ્યા વધી રહી છે. ત્યારે કડીમાં રખડતા પશુએ બાળક પર શિંગડા વડે હુમલો કર્યો હતો. કડી માર્કેટ યાર્ડની સામે આવેલી સોસાયટીમાં ઘરની બહાર બાળક રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને બાળકને હવામાં ઉછાળ્યો. ગાયે શિંગડામાં ભરવીને ચાર પાંચ વખત હવામાં ઉછાળ્યો. બુમાબુમ કરતા બાળકના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા અને ગાયને ત્યાંથી ભગાડી. જેને કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.   


થોડા દિવસ પહેલા દંપત્તિ પર રખડતા પશુએ કર્યો હતો હુમલો  

પ્રતિદિન રખડતા પશુઓનો ભોગ લોકો બની રહ્યા છે. રખડતા પશુના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો પર ગાય અચાનક હુમલો કરી લોકોને ઈજાગ્રસ્ત કરી દેતી હોય છે. ગાય દ્વારા હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજા પહોંચતી હોય છે તો કોઈ વખત તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. થોડા દિવસો પહેલા રખડતા પશુએ દંપત્તિ ઉપર હુમલો કર્યો હતો જેમાં વાહન ચલાવતા પતિનું મોત નિપજ્યું હતું. ત્યારે રખડતા પશુએ ઘરની બહાર રમતા બાળક પર હુમલો કર્યો છે. રખડતા પશુઓના આતંકમાંથી ક્યારે મુક્તિ મળશે તે સવાલ છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.