રાજકોટમાં બની એવી વિચિત્ર ઘટના જે તમે ક્યારેય નહીં સાંભળી હોય! પાયલોટની આ જીદને કારણે સાંસદો સહિત મુસાફરો અટવાયા!


  • Published By :
  • Published Date : 2023-07-24 16:45:37

ઓફિસ અવર્સ પૂર્ણ થયા બાદ જો ઓફિસવાળા આપણને કામ આપે તો અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મારો ટાઈમ પૂર્ણ થઈ ગયો છે. હું કામ નહીં કરું. આ વાક્યનો ઉપયોગ કરવો જોબ કરતા લોકો માટે સામાન્ય બની ગયો છે. પરંતુ જો કોઈ પાયલોટ કહે કે મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને હું વિમાન નહીં ઉડાડું, તો આપણને કેવું થાય? આપણા મનમાં વિચાર આવે આવું કોઈ પાયલટ કેવી રીતે કહી શકે? તમને એવું પણ લાગતું હશે કે હવામાં વાતો કરાઈ રહી છે, વગેરે વગેરે... પરંતુ ના વાત સાચી છે. આ વાક્ય રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટના પાયલોટે કહ્યું છે. સાંભળીને આશ્ચર્ય થયુંને પરંતુ વાત સાચી છે. પોતાના ડ્યુટી કલાક પૂરા થઈ ગયો હોવાથી પાયલોટે ફ્લાઈટને દિલ્હી લઈ જવાનો ઈન્કાર કર્યો હતો.   



ફ્લાઈટમાં ત્રણ સાંસદો કરી રહ્યા હતા મુસાફરી  

એરપોર્ટ પર બનતી ઘટનાઓ ચર્ચાનો વિષય બનતી હોય છે. કોઈ વખત પેસેન્જર પોતાના પડોશી પેસેન્જર પર પેસાબ કરી લે છે, તો કોઈ વખત ટોઈલેટમાં મુસાફર સિગરેટ પીતો ઝડપાય છે. પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અજીબોગરીબ કિસ્સો છે. આપણામાંથી અનેક એવા લોકો હશે જે નોકરી કરતા હશે. આપણી શિફ્ટ પૂરી થઈ જાય એટલે આપણે ઓફિસ છોડી ઘરે જતા રહીએ છીએ. આપણે સામાન્ય માણસો કહેવાઈએ. નોકરીના કલાકો પૂર્ણ થતા, જો આપણે ઘરે જતા રહીએ તો કોઈ ફરક ન પડે, પરંતુ જો આપણા પર ભરોસો રાખી અનેક લોકો બેઠા હોય ત્યારે? અને તે અનેક લોકોમાં ત્રણ જેટલા સાંસદો બેઠા હોય ત્યારે?       


શિફ્ટ પૂરી થઈ જતા પ્લેન ઉડાવવાનો પાયલોટે કર્યો ઈન્કાર

આ અજીબોગરબ ઘટના વાંચીને તમને હસવું આવ્યું હશે. આ ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો રાજકોટથી રવિવાર રાત્રે 8 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી જવા માટે ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટમાં સાંસદ મોહન કુંડારિયા,પૂનમ માડમ, કેસરીદેવસિંહ સહિત 100થી વધુ મુસાફરો ટ્રાવેલ કરી રહ્યા હતા. પ્લેનમાં મુસાફરી કરનાર મુસાફરોને લાગતું હતું કે થોડા કલાકોની અંદર તેઓ પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી જશે. પરંતુ ના પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવા માટે અનેક કલાકો સુધી મુસાફરોને રાહ જોવી પડી. કારણ કે ફ્લાઈટના મુખ્ય પાયલોટે ફ્લાઈટને ઉડાવવાની ના પાડી દીધી. તેમની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી એટલે તેમણે પ્લેન લઈ જવાનો ઈન્કાર કર્યો. અનેક કલાકો સુધી પાયલોટને મનાવવાની કોશિશ કરી, પરંતુ પાયલોટ ટસનો મસ ન થયો. પાયલોટ ન માનતા અંતે ફ્લાઈટને રદ્દ કરવામાં આવી હતી અને જે ફ્લાઈટ રવિવારે ટેકઓફ થવાની હતી તે ફ્લાઈટ સોમવાર સવારે ટેકઓફ થઈ. 


રવિવારે ઉડવાની જગ્યાએ પાયલોટની જીદને કારણે ફ્લાઈટ સોમવારે ઉડી

રવિવારે પોતાના નિયત સમયે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઇ, પેસેન્જરો નીચે પણ ઉતરી ગયા અને રાજકોટથી દિલ્હી જતા પેસેન્જરો ફ્લાઈટમાં ગોઠવાઈ ગયા. પરંતુ દિલ્હી ફ્લાઈટ પહોંચે તે પહેલા જ મુખ્ય પાયલોટના ડ્યુટી અવર્સ પૂર્ણ થઈ ગયા અને પાયલોટે પ્લેનને ટેકઓફ કરવાનો ઈન્કાર કરી દીધો. અચાનક ફ્લાઈટ રદ્દ થતા પેસેન્જરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જ્યાં સુધી ફ્લાઈટ માટે નવા પાયલોટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પેસેન્જરો અટવાઈ ગયા હતા. પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!