PM મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લાવવાનો વિચિત્ર પરિપત્ર થયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:55:15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તાપીની આર્ટ્સ કોલેજનો પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. મા દેવમોગરા સરકારી વિનયન કોલેજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ જે રીતે આપવામાં આવ્યું છે તેની મજાક ઉડાડવામાં આવી રહી છે અને આમંત્રણનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


PMને નજીકથી જોવાનો લ્હાવો ભાગ્યે જ મળે

20 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તાપી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમ બપોરે 12 વાગ્યે યોજાવા જઈ રહ્યો છે ત્યારે બપોરનું ભોજન ઘરેથી કરીને આવવાની સૂચના આપવામાં આવી છે અને વિનામૂલ્યે સરકારી બસમાં કોલેજથી કાર્યક્રમ સ્થળ અને કાર્યક્રમ સ્થળથી કોલેજ મૂકી જવાની સૂચના આપવામાં આવી છે. 


આ સૂવર્ણ તક બધા ઝડપી લેશો 

દેવમોગરા સરકારી વિનયન કોલેજના પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાનને રૂબરૂમાં નજીકથી જોવાનો તથા તેઓશ્રીની સ્પીચ સાંભળવાનો લ્હાવો ભાગ્યે જ મળે છે. આથી આ સુવર્ણતક બધા ઝડપી લેશો અને મોટી સંખ્યામાં નામ નોંધાવી દેશો. ગુરુવારે બપોરે 2 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ છે જેના માટે પરિપત્ર લખીને વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.