PM મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લાવવાનો વિચિત્ર પરિપત્ર થયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:55:15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તાપીની આર્ટ્સ કોલેજનો પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. મા દેવમોગરા સરકારી વિનયન કોલેજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ જે રીતે આપવામાં આવ્યું છે તેની મજાક ઉડાડવામાં આવી રહી છે અને આમંત્રણનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


PMને નજીકથી જોવાનો લ્હાવો ભાગ્યે જ મળે

20 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તાપી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમ બપોરે 12 વાગ્યે યોજાવા જઈ રહ્યો છે ત્યારે બપોરનું ભોજન ઘરેથી કરીને આવવાની સૂચના આપવામાં આવી છે અને વિનામૂલ્યે સરકારી બસમાં કોલેજથી કાર્યક્રમ સ્થળ અને કાર્યક્રમ સ્થળથી કોલેજ મૂકી જવાની સૂચના આપવામાં આવી છે. 


આ સૂવર્ણ તક બધા ઝડપી લેશો 

દેવમોગરા સરકારી વિનયન કોલેજના પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાનને રૂબરૂમાં નજીકથી જોવાનો તથા તેઓશ્રીની સ્પીચ સાંભળવાનો લ્હાવો ભાગ્યે જ મળે છે. આથી આ સુવર્ણતક બધા ઝડપી લેશો અને મોટી સંખ્યામાં નામ નોંધાવી દેશો. ગુરુવારે બપોરે 2 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ છે જેના માટે પરિપત્ર લખીને વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી રહી છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.