પર્વત પરથી પડ્યા પથ્થર અને સેકેન્ડોમાં ગાડીનું નિકળી ગયો કચ્ચર ઘાણ, નાગાલેન્ડમાં સર્જાયેલી દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે


  • Published By :
  • Published Date : 2023-07-05 11:20:02

સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોથી અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તો કોઈ પથ્થર પડવાને કારણે દુર્ઘટના સર્જાય છે. અનેક વખત ભૂસ્ખલન તેમજ પથ્થર પડવાને કારણે લોકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે વરસાદને કારણે નાગાલેન્ડમાં પથ્થર પડવાની ઘટના સર્જાઈ છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. લેન્ડસ્લાઈડ થવાને કારણે પથ્થર નીચે પડ્યો અને નેશનલ હાઈવે 29 પર ઉભેલી ગાડી સાથે ભટકાયો.

  

ગાડી પર પડ્યા પથ્થરો અને સર્જાઈ દુર્ઘટના  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેશનલ હાઈવે પર ઉભેલી ગાડી પર લેન્ડસ્લાઈડ થવાને કારણે અચાનક પથ્થરો પડવા લાગે છે. મોટા મોટા પથ્થરો પડવાને કારણે ગાડીને તો નુકસાન પહોંચ્યું જ પરંતુ ગાડીમાં બેઠેલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પથ્થર પડવાને કારણે ગાડીનો કચ્ચર ગાણ નીકળી ગયો હતો. પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માત્ર 5 સેકેન્ડની અંદર જ એક પછી એક બે પથ્થરો નીચે પડ્યા અને ત્રણ કારો પર આવીને પડ્યા. 


ઘટનામાં બે લોકોના થયા મોત 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવાર સાંજે 5.30 વાગ્યાની આસપાસ દીમાપુરના ઓલ્ડ ચુમોકેદીમા પોલીસ ચેક ગેટ નજીકનો છે. આ ઘટનામાં ચાર વાહનોને નુકસાન પહોંચ્યું છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત થયું છે જ્યારે બીજા વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોનું મોત નિપજ્યું છે તે અંગેની માહિતી પોલીસ એકત્રિત કરી રહી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.