રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ! વેગનર જૂથે પોકાર્યો બળવો, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક કરાઈ તૈનાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-24 12:39:41

હજી સુધી આપણે રૂસ અને રશિયાના વચ્ચે ચાલતા યુદ્ધની વાતો કરતા હતા. પરંતુ રશિયામાં હવે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એવા સમાચારો સામે આવી રહ્યા હતા જેમાં વેગનર ગ્રૃપના વડા યેવજેની પ્રિગોગીનએ બળવો કરવાનો પ્રયાસ કર્યો છે. બળવો પોકારવાને કારણે મોસ્કોને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવી છે. સુરક્ષાને વધારી દેવામાં આવી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને રશિયન સેનાનું હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યું છે. રશિયામાં બળવાખોરની સ્થિતિ શરૂ થતાં રાષ્ટ્રપતિ પુતિનની મુશ્કેલી વધી શકે છે.  



રશિયામાં ગ્રૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ!

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા સમયથી આ યુદ્ધ ચાલવાથી બંને દેશોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવી માહિતી સામે આવી રહી છે કે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગીને બળવો પોકાર્યો છે. બળવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં વેગનરની સેનાએ રોસ્તોવ શહેરના અનેક વિસ્તારોમાં કબજો જમાવી લીધો છે. જે ગ્રુપે રશિયાને યુદ્ધમાં સાથ આપ્યો તે જ ગ્રુપે બળવો પોકારી લીધો છે જેને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે. વેનગર ગ્રુપ અને રશિયન સેના વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે.     


પ્રિગોઝિને આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે પ્રિગોઝિને જણાવ્યું કે અમારી પાસે 25 હજાર સૈનિકો છે. અમે અમારું લક્ષ્ય નક્કી કર્યું છે અને અમે મરવા માટે પણ તૈયાર છીએ. અમે અમારી માતૃભૂમિ અને રશિયાના નાગરિકો માટે ઊભા છીએ. તેઓને આવા લોકોથી છૂટકારો મેળવવો જોઈએ જે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. જેમણે બળવો પોકાર્યો છે તેમને રશિયના રાષ્ટ્રપતિના રસોઈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા તે રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને પુતિન ત્યાં જમવા પણ આવતા હતા. ત્યારે આ બળવા થવાને કારણે પુતિનની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે