ફાગણી પૂનમને લઈ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં કરાયું છે વિશેષ આયોજન, જાણો શું છે આગામી બે દિવસનો કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-03-06 15:40:33

ફાગણી પૂનમને લઈ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પદયાત્રીકો ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. ડાકોર તરફ જતા રસ્તાઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના દર્શન કરવા હજારો ભક્તો આવતા હોય છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના ઘોડાપુરને જોતા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

ડાકોર મંદિર નો ઈતિહાસ અને મંદિર વિશે જાણવા જેવું

દર્શન માટે રણછોડજી મંદિરમાં કરાઈ વિશેષ વ્યવસ્થા  

7 માર્ચે રણછોડરાયજી મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જે બાદ ચારથી સાડા સાત વાગ્યા સુધી દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. જે બાદ 8થી 2.30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. બપોરે 3 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકે છે. સાંજે  6 વાગ્યે ઉત્થાયન આરતી થશે. જે બાદ 6થી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8.15 વાગ્યે શયન આરતી થશે. 


આઠ માર્ચે ડાકોરના રણછોડરાય મંદિરમાં સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થશે. 5.15થી 8.30 સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. જે બાદ ભગવાનના દ્વાર 9.00 વાગ્યાથી 1.00 વાગ્યા સુધી દ્વાર ખુલ્લા રહેશે. આ સમય દરમિયાન શ્રી ગોપાલ ફૂલડોળમાં બિરાજશે જેનો લાભ ભક્તો લઈ શક્શે. બપોરે 1.00થી 2.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરના સમયે 3.30થી 4.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જે બાદ 5.15 વાગ્યે ઉત્થાપન આરતી થશે. 





હજારોની સંખ્યામાં ભક્તો આવે છે દર્શનાર્થે 

ફાગણી પૂનમને લઈ હજારોની સંખ્યામાં ભક્તો ડાકોરમાં દર્શનાર્થે પહોંચ્યા છે. ધ્વજાઓ, સંઘ લઈ ભક્તો ડાકોર પહોંચ્યા છે. ડાકોર તરફ થઈ રેહલા રસ્તાઓ પર પણ જય રણછોડના નાદ સંભળાઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સ્થળો પર પદયાત્રીકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ, એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.ફાગણી પૂનમને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.      

  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!