સાહિત્યના સમીપમાં વાંચો ઉમાશંકર જોષીની રચનાને...


  • Published By :
  • Published Date : 2024-01-02 10:59:48

 નવા વર્ષમાં અમે એક નાનકડો પ્રયાસ શરૂ કર્યો છે. નવી પહેલમાં અમે સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માતૃભાષાનું આપણા જીવનમાં અનેરૂં મહત્વ રહેલું હોય છે. ગુજરાતી ભાષા પર અનેક રચના કરવામાં આવી છે. અલગ અલગ સાહિત્યકારોએ ગુજરાતી ભાષાને શબ્દોના પુષ્પો અર્પણ કર્યા છે. આજે સાહિત્યના સમીપમાં આજે વાંચો ઉમાશંકર જોષીની રચના - મળી માતૃભાષા મને ગુજરાતી   


મળી માતૃભાષા મને ગુજરાતી...


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,

મળી માતૃભાષા મને ગુજરાતી.


રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,

સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.

કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,

રમો માતૃભાષા મુખે ગુજરાતી.


મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,

થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,

પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,

સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.


ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,

નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.


– ઉમાશંકર જોષી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.