જર્મનીના હેમ્બર્ગના ચર્ચમાં થયું ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-03-10 09:13:51

વિદેશમાં અનેક વખત ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે ત્યારે જર્મનીના એક ચર્ચમાં પણ અંધાધૂધ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. ગુરૂવાર રાત્રે ફાયરિંગ કરવામાં આવી હતી. ડીલબોગે સ્ટ્રીટ પર આવેલા ચર્ચમાં ફાયરિંગ થયું છે જેમાં અંદાજીત 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

फायरिंग के बाद चर्च के बाहर सुरक्षा बढ़ा दी गई।

ગોળીબારીને કારણે અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ 

ગુરૂવાર રાત્રે જર્મનીમાં ફાયરિંગ થવાની ઘટના બની છે. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં આવેલા એક ચર્ચમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં લગભગ 6થી 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગોળીબારીને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અલસ્ટરડોર્ફ વિસ્તારમાં આવેલા યહોવા વિટનેસ ચર્ચમાં ગોળીબારી થઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.   

घटनास्थल के पास जवाबी कार्रवाई करती पुलिस।

जहां फायरिंग हुई, उसके पास बड़ी संख्या में पुलिस बल मौजूद है।

પોલીસ બંદોબસ્ત કરાયો તૈનાત   

પોલીસના કહેવા પ્રમાણે કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવી તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. હેમ્બર્ગ પોલીસે ટ્વિટ કર્યું કે આ ફાયરિંગમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે. અંદાજીત 10 મિનીટ સુધી હમલાવરોએ ગોળીબારી કરી હતી. હજી સુધી જાણી નથી શકાયું કે હુમલો કરનાર એક વ્યક્તિ છે કે અનેક વ્યક્તિઓ. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ચેક કરવામાં  આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને છોડવામાં નહીં આવે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે