Vadodaraથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો જે જોઈને તમને આ ચટાકેદાર પાણીપુરી નહિ ભાવે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:14:48

પાણીપુરીના શોખીન અનેક લોકો હોય છે. સામાન્ય રીતે મહિલાઓ જ્યારે શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપુરી ખાઈને આવતી હોય છે. અનેક વખત મહિલાઓ કહેતી હોય છે કે બહાર જેવો પાણીપુરનો સ્વાદ ઘરે નથી આવતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોયા બાદ કદાચ તમે બહારની પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો.   વડોદરાનો આ વાયરલ વીડિયો જોઈને તમે પાણીપુરી ખાવાનું ભૂલી જશો.

કાદવવાળા ગંદાપાણીમાં બનાવાય છે પાણીપુરીનો મસાલો! 

મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ભાવતી હોય છે, એ પણ બહારની પાણીપુરી. ત્યારે હાલ વડોદરાનો પાણીપુરીવાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા દબાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદાપાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાંખી દે છે. 


ગંધાતા પગથી ખૂંદીને તૈયાર કરવામાં આવી રહ્યો છે માવો! 

જે વીડિયો સામે આવ્યો છે તે વડોદરાનો છે. પગથી ખૂંદીને પાણીપૂરીનો માવો બનાવાતો હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ભેરૂનાથ આઇસ્ક્રીમ શોપ પાસેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં ફૂટપાથ પર જ તપેલામાં બાફેલા બટાકાને ગંધાતા પગથી ખૂંદીને માવો તૈયાર કરવામાં આવી રહ્યો છે.  

ફૂડ વિભાગની કામગીરી પર પણ ઉઠે છે અનેક સવાલ! 

સ્વાદના શોખીનોના આરોગ્યને જોખમમાં મૂકતા આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. ફૂટપાથ પર પણ ગંદકી જોવા મળે છે તો જે પાણીમાં બટાકાને બાફવામાં આવ્યા છે તે પણ ગંધાતુ હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યુ છે. આવામાં વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકોને બીમારીમાં ધકેલતા આવા રેંકડીવાળા જે રીતે જાહેર રોડ પર જ પગથી ખૂદી પાણીપૂરીનો માવો બનાવી રહ્યા છે તે જોતા કોર્પોરેશન કે અન્ય કોઇ તંત્રની ધરાર ડર ન હોવાનુ પણ જણાઇ રહ્યુ છે. જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ દુકાનને તાળુ મારી દુકાનદાર ફરાર થઇ ગયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.