Suratથી સામે આવી હચમચાવી દે તેવી ઘટના! પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-02-19 18:04:36

સુરતથી અનેક વખત હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. નાની નાની વાતને લઈ લોકો એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઘણી વખત વાત એકદમ નાની હોય પરંતુ કોઈની હત્યા કરવામાં લોકો કઈ વિચારતા જ નથી એવું લાગે. ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. પ્રેમીકા પર પ્રેમીએ પેટ્રોલ  છાંટ્યું અને પછી તેને આગને હવાલે કરી દીધી. આ ઘટના છે સુરતના કતારગામની. 8 વર્ષથી પ્રેમી પ્રેમીકા પ્રેમ સંબંધમાં હતા. પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકા કોઈ બીજાની સાથે વાતો કરે છે અને તે શંકામાં પ્રેમીએ પ્રેમીકાને આગને હવાલે કરી દીધી.


પ્રેમીકા પર પ્રેમીએ છાંટ્યું પેટ્રોલ અને લગાવી દીધી આગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં પ્રેમી પ્રેમીકાને અથવા તો પ્રેમી માટે પ્રેમિકાના પતિ અથવા પત્નીનો જીવ લઈ લેવામાં આવે છે. ત્યારે સુરતથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વાત છે સુરતના કતારગામની જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. મળતી માહિતી અનુસાર શંભુને તેની પ્રેમિકા રાધા પર વહેમ હતો. મહત્વનું છે કે રાધા એક પરણિત મહિલા છે. મળતી માહિતી અનુસાર રાધા સાથે શંભુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો. શંભુને વહેમ હતો કે રાધા કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. 



પ્રેમીને વહેમ હતો કે તેની પ્રેમીકાનું ચાલે છે કોઈ બીજા સાથે ચક્કર! 

આ વહેમ મનમાં આવતા રાધા સાથે કેવી રીતે બદલો લેવો તે અંગે વિચારી રહ્યો હતો. પ્લાન ઘડી રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રીના સમયે લગભગ 2 વાગ્યાની આસપાસ શંભુએ આ ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાને મારવા માટે તેણે પ્લાન બનાવ્યો. ક્યાંકથી તેણે પેટ્રોલની વ્યવસ્થા કરી અને આ ઘટનાને અંજામ આપ્યો. મળતી માહિતી અનુસાર રાધા કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતી હતી. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે રાધાના ઘણા વર્ષોથી સંબંધો હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે માત્ર થોડા કલાકોની અંદર જ આરોપીને પકડી પાડ્યો હતો.


પતિ પત્ની વચ્ચે પણ બનતી હોય છે આવી ઘટના  

મહત્વનું છે કે પ્રેમ સંબંધમાં અનેક વખત વહેમ આવી જવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એક વખત જો પાર્ટનર પર શંકા જાય છે તો તેની સાથે વાત નથી કરતા અને આવી ઘટનાને અંજામ આપે છે. ન માત્ર પ્રેમીઓ પરંતુ પતિ પત્નીના સંબંધોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. મહત્વનું છે કે લોકોમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, એકબીજા પરનો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે.   



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.