દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 6 સભ્યો બન્યા કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-07-11 11:06:47

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં જતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર આજે એટલે કે 11 જુલાઈએ વહેલી સવારે થયો છે જેમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે બે જેટલા લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માત સ્કૂલ બસ અને ગાડી વચ્ચે થયો હતો.

  

અકસ્માતમાં 6 લોકોના થયા મોત 

રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે એક્સિડન્ટ સર્જાતા હોય છે. પરંતુ અનેક વખત રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે પણ ગંભીર અકસ્માત સર્જાતા હોય છે તેનું ઉદાહરણ છે એ અકસ્માત જે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો છે. ગાઝિયાબાદ પાસે રોંગ સાઈડ પરથી સ્કુલ બસ આવી રહી હતી અને તે દરમિયાન ગાડી સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા જ્યારે 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


રોંગ સાઈડ પર આવી રહેલી બસે સર્જ્યો અકસ્માત!

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે સ્કૂલ બસ રોંગ સાઈડ પર પુરઝડપે આવી રહી છે. તે જ સમયે ફૂલ સ્પીડમાં ચાલતી ગાડી તેની સામે આવીને ઉભી રહે છે. એક્સિડન્ટને અટકાવવા માટે ગાડીને બીજી તરફ વાળી દે છે, પરંતુ જ્યાં કાર ડ્રાઈવર ગાડીને વાળે છે ત્યાં જ બસ ડ્રાઈવર પણ બસને વાળી દે છે. જેને લઈ ભીષણ ટક્કર થાય છે. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે માણસોના શવ ગાડીમાં જ લટકતા રહ્યા. મૃતકોની લાશને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવામાં આવી. છેલ્લે ગાડીના દરવાજાને તોડી દેવાયા અને લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.       

અનેક પરિવારોએ ગુમાવ્યા છે પરિવારના સભ્યોને 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં સવાર પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. ગાડીમાં ચાર બાળકો પણ સવાર હતા. મહત્વનું છે રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા મોતમાં પરિણમતી હોય છે. અનેક પરિવારોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સાથે આટલા લોકોની અર્થી ઉઠતાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.