જામનગરના ધ્રોલ નજીક સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-24 11:31:23

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. થોડા સમયથી રોડ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે જામનગરના ધ્રોલ તાલુકાના લતીપુર રોડ પર અકસ્માત થયો છે જેમાં ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. આઈસર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. 


કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત 

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટ થવાને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત જામનગરમાં સર્જાયો છે. ધ્રોલ તાલુકાના ગોકલપર ગામ નજીક મોડી રાત્રે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા.


ઘટનાસ્થળે આવી પોલીસે કરી કાર્યવાહી 

અકસ્માત થવાને કારણે ગામના લોકો એકત્ર થઈ ગયા હતા. અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં  આવી હતી. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મિત્રો ટીમલી ગામ ખાતે આયોજીત ભજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને પરત ફરતી વખત આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.