Rajasthanમાં તથ્યવાળી! બસ બગડતા રસ્તા પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર, ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-13 09:15:07

દેશભરમાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર  બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ છે. 


ઘટનામાં થયા 11 લોકોના મોત 

જે બસને અકસ્માત નડ્યો છે તે ભાવનગરથી મથુરા જઈ રહેલી હતી. રસ્તાની સાઈડ પર બસ ઉભી હતી. બસ બગડવાને કારણે બસ સાઈડમાં ઉભી રહી હતી. બસ રિપેર થઈ રહી હતી જેને કારણે પેસેન્જરો સાઈડમાં ઉભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે લોકોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટનામાં 11 જેટલા લોકોના મોત થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે.   


ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા યાત્રિકો 

રાજસ્થાનના ભરતપુરમાં આ ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત આગ્રા જયપુર નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. હંતારા પાસે આ અકસ્માત સવારે 5.30 વાગ્યે સર્જાયો છે. ઘટનામાં 6 મહિલાઓ અને પાંચ પુરૂષોના મોત થયા છે. 



રસ્તાના સાઈડ પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર 

આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ ગુજરાતીઓ છે અને ભાવનગરના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના ભાવનગરથી મુસાફરો મથુરા જઈ રહ્યા હતા. બસ બગડી ગઈ હતી જેને કારણે બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું. લોકો સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન ટ્રકે લોકોને ટક્કર મારી અને રસ્તાની સાઈડમાં ઉભેલા લોકોને કચડતી જતી રહી. 


આ મામલે પોલીસે તપાસ શરૂ કરી 

અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર લાશોના ઢગલા પડ્યા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે કયા વાહને ટક્કર મારી તે જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર આવી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.  



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.