ઓડિશામાં સર્જાયો ગંભીર અકસ્માત, બે બસોની ટક્કર થતાં સર્જાઈ દુર્ઘટના અને આટલા લોકો બન્યા કાળનો કોળિયો!


  • Published By :
  • Published Date : 2023-06-26 09:53:39

અકસ્માતને કારણે અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. એકની ભૂલ બીજા માટે પ્રાણઘાતક સાબિત થતું અનેક કિસ્સાઓમાં જોવા મળે છે. કોઈ વખત ઝડપને કારણે એક્સિડન્ટ સર્જાય છે તો કોઈ વખત બે ગાડીઓ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત ઓડિશાના ગંજમ જિલ્લામાં સર્જાયો છે. મોડી રાત્રે બે બસો સામ સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  દુર્ઘટના સમાચાર મળતા ઓડિશાના મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની જાહેરાત કરી છે.


ઘટનામાં થયા 10 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત થયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં બે બસોની ટક્કર સામ સામે થઈ છે. મળતી માહિતી અનુસાર એક બસ પ્રાઈવેટ લક્ઝરી બસ હતી. ભયાનક અકસ્માત થતાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગેની જાણકારી આપતા ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે ઘાયલોની સારવાર MKCG મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. 


મૃતકોને સહાય ચૂકવવાની સીએમે કરી જાહેરાત 

આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓડિશા રાજ્યના મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. સીએમે મૃતકોના પરિવારને સહય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દરેક મૃતકના પરિવારને 3 લાખ આપી સહાય કરવામાં  આવશે જ્યારે ઘાયલોને 30 હજાર આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તેમાં 4 મહિલાઓનો તેમજ 6 પુરૂષોનો સમાવેશ થાય છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.