Mahisagarમાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રાવેલર્સ અને બાઈક વચ્ચે ટક્કર થતા એક મહિલાઓ ગુમાવ્યો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-21 17:03:40

અકસ્માતોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક આશાવાદી લોકોના મોત થયા છે. અનેક વખત અકસ્માતમાં બાળકોના મોત થયા છે જેમણે હજી દુનિયાને પણ નથી જોઈ. ત્યારે વધુ એક અકસ્માત મહીસાગરમાં થયો છે જેમાં એક યુવતીનું મોત ઘટનાસ્થળ પર થયું છે. આ અકસ્માત ગોધરા લુણાવાડા હાઇવે પર  બાઈક અને ટ્રાવેલ્સ  વચ્ચે સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 


અકસ્માત સર્જી ડ્રાઈવર થયો ફરાર

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. લોકો તહેવારમાં ઉત્સાહિત હોય છે, આનંદ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ અનેક પરિવારો માટે તહેવાર માતમમાં પરિવર્તિત થઈ જતો હોય છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ અકસ્માતમાં ગુમાવ્યો છે. સામે વાળાના ભૂલની સજા બીજા લોકોએ ચૂકવવી પડતી હોય છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત મહીસાગરમાં સર્જાયો છે. ગોધરા હાઇવે ઉપર ચોપડા ગામ પાસે બાઈક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત ઘટનાસ્થળ પર થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં યુવકને લઈ જવાયો છે. અકસ્માત બાદ ટ્રાવેલર્સનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સ્વજન   

હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર થઈ જતા હોય છે. કોઈ વખત વાહનચાલક  ગાડી પરથી કાબુ ગુમાવી દેતા હોય છે તો કોઈ નશાની હાલતમાં વાહન ચલાવતા હોય છે. આ ઘટનામાં પોલીસે કેસ દાખલ કર્યો છે. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે અનેક નિર્દોષ લોકોએ અનેક પરિવારોએ પોતાના સ્વજનો અકસ્માતમાં ગુમાવ્યા છે. 

અંબાજી જતા ભક્તોને નડ્યો અકસ્માત!

બીજો એક અકસ્માત આજે સર્જાયો છે. અંબાજી દર્શનાર્થે ગયેલા ભક્તોને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. સુરતના રામપુરા ગામના 8 યાત્રિકોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પંરતુ યાત્રિકોને સામાન્ય ઈજા પહોંચી છે. ખાનપુરના બાબલિયા પાસે ગાડી પલ્ટી હતી અને અકસ્માતનો શિકાર લોકો બન્યા છે. 

 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!