Mahisagarમાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રાવેલર્સ અને બાઈક વચ્ચે ટક્કર થતા એક મહિલાઓ ગુમાવ્યો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-21 17:03:40

અકસ્માતોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક આશાવાદી લોકોના મોત થયા છે. અનેક વખત અકસ્માતમાં બાળકોના મોત થયા છે જેમણે હજી દુનિયાને પણ નથી જોઈ. ત્યારે વધુ એક અકસ્માત મહીસાગરમાં થયો છે જેમાં એક યુવતીનું મોત ઘટનાસ્થળ પર થયું છે. આ અકસ્માત ગોધરા લુણાવાડા હાઇવે પર  બાઈક અને ટ્રાવેલ્સ  વચ્ચે સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 


અકસ્માત સર્જી ડ્રાઈવર થયો ફરાર

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. લોકો તહેવારમાં ઉત્સાહિત હોય છે, આનંદ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ અનેક પરિવારો માટે તહેવાર માતમમાં પરિવર્તિત થઈ જતો હોય છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ અકસ્માતમાં ગુમાવ્યો છે. સામે વાળાના ભૂલની સજા બીજા લોકોએ ચૂકવવી પડતી હોય છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત મહીસાગરમાં સર્જાયો છે. ગોધરા હાઇવે ઉપર ચોપડા ગામ પાસે બાઈક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત ઘટનાસ્થળ પર થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં યુવકને લઈ જવાયો છે. અકસ્માત બાદ ટ્રાવેલર્સનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સ્વજન   

હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર થઈ જતા હોય છે. કોઈ વખત વાહનચાલક  ગાડી પરથી કાબુ ગુમાવી દેતા હોય છે તો કોઈ નશાની હાલતમાં વાહન ચલાવતા હોય છે. આ ઘટનામાં પોલીસે કેસ દાખલ કર્યો છે. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે અનેક નિર્દોષ લોકોએ અનેક પરિવારોએ પોતાના સ્વજનો અકસ્માતમાં ગુમાવ્યા છે. 

અંબાજી જતા ભક્તોને નડ્યો અકસ્માત!

બીજો એક અકસ્માત આજે સર્જાયો છે. અંબાજી દર્શનાર્થે ગયેલા ભક્તોને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. સુરતના રામપુરા ગામના 8 યાત્રિકોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પંરતુ યાત્રિકોને સામાન્ય ઈજા પહોંચી છે. ખાનપુરના બાબલિયા પાસે ગાડી પલ્ટી હતી અને અકસ્માતનો શિકાર લોકો બન્યા છે. 

 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.