કર્ણાટકમાં બન્યો અકસ્માતનો બનાવ, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-05 12:10:04

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. અનેક મોતને પણ ભેટી રહ્યા છે. બુધવાર રાતે કર્ણાટકમાં એક અકસ્માત થયો હતો જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચિનપુરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વાહન ઝાડ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો અને 5 જેટલા લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા. 

આ અકસ્માતમાં થયા 5 લોકોના મોત 

કર્ણાટકના ચિંચનુર જિલ્લામાં એક વાહન ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે 5 જેટલા લોકોએ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર મરનાર લોકો શ્રદ્ધાળુઓ હતા અને તે લોકો સાવદત્તીના રેણુકા યલ્લ્મ્મા મંદિર જઈ રહ્યા હતા. વાહનચાલકે વાહન પરથી નિયંત્રણ છોઈ બેસતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પર રાજ્યના મંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને સહાય આપવાની જાહેરાત પણ કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.