Gandhinagarમાં ગમખ્વાર અકસ્માત, ઝાડ સાથે ગાડી અથડાતા થયા પાંચ લોકોના મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-17 11:59:41

રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. બીજાના ભૂલની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. તહેવાર દરમિયાન અનેક કિસ્સાઓ અકસ્માતના બન્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. ખુશીના સમયે જો કોઈનું મોત થાય છે આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બધા મૃતકો પિતરાઈ ભાઈઓ હતા. આ અકસ્માત ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે બન્યો હતો. કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે અથડાઈ. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ઉપરાંત પાંચ લોકોના મોત થઈ ગયા. 

 કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 ગાંધીનગર: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો થયાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગઇકાલે રાત્રે ગાંધીનગરમાં કારને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગઇકાલે રાત્રે ફિલ્મ જોઇને પરત ફરતી વખતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. રાંધેજા નજીક કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

ગાંધીનગરમાં અકસ્માત જેમાં થયા પાંચ લોકોના મોત  

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અનેક વખત ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત થઈ જતી હોય છે. ઓવર સ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાય છે અને તે જીવલેણ સાબિત થાય છે અનેક લોકો માટે. રસ્તાઓને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે અને એવી રીતે રસ્તા પર ડ્રાઈવિંગ કરતા હોય છે જે બીજાના પ્રાણ માટે ઘાતક સાબિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. ઝાડ સાથે ગાડી અથડાઈ અને લોકો મોતને ભેટ્યા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 

 પ્રથામિક માહિતી અનુસાર, કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં છ લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઝાડ સાથે ગાડી અથડાતા સર્જાઈ દુર્ઘટના  

જે અકસ્માતની વાત અહીં થઈ રહી છે તે ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે થઈ હતી. પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર અકસ્માત બન્યો છે. સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને ગાડી નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. વૃક્ષ સાથે ગાડી અથડાતા ગાડીની દુર્દશા થઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ જણાના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. 

 મૃતકોના નામ: સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, અસ્ફાક ચૌહાણ, મોહંમદ બેલીમ, મોહંમદ અલ્ફાઝ. જ્યારે શાહનવાબ ચૌહાણ ઇજાગ્રસ્ત છે.

જે લોકોના મોત થયા તે પિતરાઈ ભાઈઓ હતા!

આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે પિતરાઈ ભાઈઓ હતા. એક સાથે પાંચ લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોઈને પાછા આવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે. 

 રોડની સાઈડમાં ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા


આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.