Gandhinagarમાં ગમખ્વાર અકસ્માત, ઝાડ સાથે ગાડી અથડાતા થયા પાંચ લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-17 11:59:41

રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. બીજાના ભૂલની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. તહેવાર દરમિયાન અનેક કિસ્સાઓ અકસ્માતના બન્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. ખુશીના સમયે જો કોઈનું મોત થાય છે આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બધા મૃતકો પિતરાઈ ભાઈઓ હતા. આ અકસ્માત ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે બન્યો હતો. કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે અથડાઈ. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ઉપરાંત પાંચ લોકોના મોત થઈ ગયા. 

 કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 ગાંધીનગર: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો થયાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગઇકાલે રાત્રે ગાંધીનગરમાં કારને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગઇકાલે રાત્રે ફિલ્મ જોઇને પરત ફરતી વખતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. રાંધેજા નજીક કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

ગાંધીનગરમાં અકસ્માત જેમાં થયા પાંચ લોકોના મોત  

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અનેક વખત ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત થઈ જતી હોય છે. ઓવર સ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાય છે અને તે જીવલેણ સાબિત થાય છે અનેક લોકો માટે. રસ્તાઓને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે અને એવી રીતે રસ્તા પર ડ્રાઈવિંગ કરતા હોય છે જે બીજાના પ્રાણ માટે ઘાતક સાબિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. ઝાડ સાથે ગાડી અથડાઈ અને લોકો મોતને ભેટ્યા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 

 પ્રથામિક માહિતી અનુસાર, કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં છ લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઝાડ સાથે ગાડી અથડાતા સર્જાઈ દુર્ઘટના  

જે અકસ્માતની વાત અહીં થઈ રહી છે તે ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે થઈ હતી. પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર અકસ્માત બન્યો છે. સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને ગાડી નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. વૃક્ષ સાથે ગાડી અથડાતા ગાડીની દુર્દશા થઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ જણાના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. 

 મૃતકોના નામ: સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, અસ્ફાક ચૌહાણ, મોહંમદ બેલીમ, મોહંમદ અલ્ફાઝ. જ્યારે શાહનવાબ ચૌહાણ ઇજાગ્રસ્ત છે.

જે લોકોના મોત થયા તે પિતરાઈ ભાઈઓ હતા!

આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે પિતરાઈ ભાઈઓ હતા. એક સાથે પાંચ લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોઈને પાછા આવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે. 

 રોડની સાઈડમાં ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!