Rajkotમાં સંત કરશે મધ્યસ્થી। સમજો ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા સાથેના સમાધાનની ફોર્મ્યુલા!


  • Published By :
  • Published Date : 2024-03-29 16:34:58

આજે સાંજે  5 વાગે  ગણેશગઢમાં જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થીમાં ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. અમે તમને ક્ષત્રિય સમાજ vs પરષોત્તમ રૂપાલાના વિવાદનું સમાધાન કઈ રીતે આવશે એની સેટ ફોર્મ્યુલા ભાજપની રણનીતિ પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ એમાં ઇન્વોલવ થવું બધુજ વિસ્તારથી સમજીએ...   

ઉમેદવાર બદલવાની ઉઠી માગ! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતમાં ઘમાસાણ ચાલી રહ્યો છે. વિવિધ જગ્યાઓ પર તેમના નિવેદન બાદ આંદોલનનો શરૂ થયા, તેમના વિરૂદ્ધ નારા લાગ્યા. ક્ષત્રિય સમાજ ખુબ રોષે ભરાયેલો છે. પરષોત્તમ રૂપાલાની સામે કેટલાય સમયથી એ લોકો આંદોલન કરી રહ્યાં છે. સંમેલન મળવાની વાત ચાલી રહી છે. સમાજની માંગણી એ છે કે રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. જોકે પરષોત્તમ રૂપાલા વારંવાર માફી માંગી ચુક્યા છે અને હવે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને સી આર પાટીલ અને બધા ભેગા થયા છે મિટિંગ કરી છે અને સમાધાનની ફોર્મ્યુલા શોધાઈ રહી છે.


જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં થવાની છે બેઠક!

એ સમાધાનની ફોર્મ્યુલા વિશે વાત કરીએ તો.. અમારી પાસે જે માહિતી છે એ મુજબ સૂત્ર કહે છે એમ આખી ફોર્મ્યુલા એ રીતે તૈયાર થઇ છે કે ગોંડલના ગણેશગઢમાં સાંજે 5 વાગે જયરાજસિંહ જાડેજાના ફાર્મહોઉસમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જેટલી સંસ્થા છે જે વિરોધ કરે છે એ બધા લોકો ત્યાં ભેગા થશે. જયરાજસિંહ આ વિષય પર સમાધાનનું પોતાના માથે લે એવું લાગતું નથી કારણકે  ક્ષત્રિય સમાજ એમના કહ્યા પર બધું સ્વીકારી લે એના અણસાર નથી કેમ કે જે તે સમયે રીબડા સાથે સંઘર્ષ ચાલતો હતો ત્યારે જયરાજસિંહ જાડેજા એ એવું કહ્યું હતું કે આ વાતમાં સમાજે વચ્ચે પડવાનું નથી આવતું. આ અમારો અંગત મામલો છે. તો હવે એ વખતે એમનો અંગત મામલો હતો તો અત્યારે સામાજિક મામલામાં જયરાજસિંહ પોતાના માથા પર લે એવું લાગતું નથી.


જાણો કેવી રીતે ભાજપ લાવશે વિવાદનો અંત?  

એટલે ફોર્મ્યુલા એ છે કે એના પછી જયરાજસિંહ જાડેજા અને બાકીના ક્ષત્રિય નેતાઓ પ્રસ્તાવ મુકશે સમાજના લોકો આગળ કે એક કામ કરીએ આપણે ભેગા થઈને રાજકોટમાં જે ગાયત્રી આશ્રમ છે. ત્યાં લાલબાપુ છે એમની શરણે જઈએ એ જે રીતે કહે એમ કરશું એટલે ત્યારે બાપુ કહેશે કે બધા ક્ષત્રિય સમાજના આગેવાનોને, રાજવી પરિવારને બોલાવો. બીજેપી સાથે સંકડાયેલા રાજવી પરિવાર સિવાય પણ બધાને બોલાવો. પછી બધા ભેગા થાય તો બાપુ એવું કહેશે કે ક્ષત્રિયોએ તો પોતાના દુશમનોને પણ માફ કરેલા છે. રૂપાલાએ વારંવાર માફી પણ માંગી છે. તો એમને માફ કરી દેવા જોઈએ અને જ્યારે સંત આવું કશુંક બોલે ત્યારે મોટાભાગે સમાજ એને સ્વીકારી લેતો હોય છે. તો આખરે આ રીતે માફી આપી દેશે સમાધાન થઈ જશે સમાધાનની આ ફોર્મુલા અત્યારે અમારી સામે છે. અને છેલ્લા કેટલાઈ સમયથી જે ચર્ચાનો વિષય બન્યો છે એ વિવાદનો અંત આવી શકે છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.