રાજકોટમાં સનસનાટી ફેલાવી દે એવી લૂંટની ઘટના !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:57:22

કેવી રીતે થઈ લુંટ?

રાજકોટમાં આજે લુંટની ઘટના બની છે જેમાં માતોશ્રી બંગલામાં નેપાળી શખસોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે ઘરમાં તરુણ સૂતો હતો અને નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. બાદમાં 2 લોકોએ મળી ને તરુણને બાંધી દીધો અને ઘરમાં રહેલા સોનાની લુંટને અંજામ આપ્યો. આ લુંટને અંજામ આપવા માં અનિલની પત્ની પણ સામેલ હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે તરુણનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતા.

 

પોલીસ ઘટના સ્થળે પૂછપરછ હાથ ધરી !!!

ઘટનાની જાણ થતા  DCP ક્રાઇમ, DCP  ઝોન-2 સહિતના અધિકારીયો ઘટના સ્થળે પોહચી ગયા હતા. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે . પ્રાથમિક માહિતી મળી છે કે 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ છે.


 

લૂંટારાઓનો પ્લાન !!!

પોલીસએ આસપાસના CCTV તપાસ કર્યા અને કાર્યવાહી હાથ ધરી છે 14 વર્ષનો તરુણ ઘરે એકલો હતો. ઘરમાં કામ કરતા નેપાળી શખસે એકલતાનો લાભ લઈ અન્ય બે નેપાળી શખસને બોલાવી તરુણને ઓશીકું ફાડી એના કપડાથી બાંધી બંધક બનાવ્યો હતો. બંગલો પ્રભાતભાઈ સિંધવનો છે અને તેઓ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનો 14 વર્ષનો પુત્ર જશ એકલો ઘરે હતો.


 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.