કોરોના કેસમાં ફરી જોવા મળ્યો ઉછાળો, 24 કલાકમાં આટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-20 15:13:32

દેશમાં કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈ ફરી એક વખત ચિંતાનો વિષય ઉભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 918 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 6350 પર પહોંચી ગઈ છે.


છેલ્લા 24 કલાકમાં થયા 4 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા એવું લાગતું હતું કે કોરોના અંત તરફ આગળ વધી રહ્યો છે. એકદમ ઓછા કેસ નોંધાતા હતા. કોરોના જાણે નાબુદ થઈ ગયો હોય તેવું લોકોને લાગતું હતું. કોરોનાના ઘટતા કેસને લઈ લોકો પણ એકદમ લાપરવાહ બની ગયા હતા. પરંતુ ફરી એક વખત કોરોના પગ પેસારો સમગ્ર દેશમાં કરી રહ્યો છે. કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 918 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 4 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થઈ છે. રાજસ્થાનમાં બે લોકોના મોત થયા છે જ્યારે કેરળ અને કર્ણાટકમાં એક એક લોકોના મોત થયા છે.

 

કેન્દ્રએ રાજ્ય સરકારને સતર્ક રહેવા કરી અપીલ  

દેશમાં કોરોનાની સાથે સાથે H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.  H3N2ના સંક્રમણમાં અનેક લોકો આવી રહ્યા છે. એક તરફ કોરોનાના વધતા જતા કેસ તો બીજી તરફ H3N2ના કેસે ચિંતા વધારી છે. દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કેરળમાં 1796 કેસ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં 1308 જેટલા એક્ટિવ છે. ગુજરાતમાં 740 જેટલા એક્ટિવ કેસોની સંખ્યા છે. તેલંગાણામાં 237 એક્ટિવ કેસ છે જ્યારે દિલ્હીમાં 209 એક્ટિવ કેસ છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસને લઈ સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર પ્લાન તૈયાર કરી રહી છે. રાજ્યોને કેન્દ્ર સરકારે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ લોકોને પણ અનેક સાવચેતી રાખવા અપીલ કરી છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.