Suratથી સામે આવ્યો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સાતમા માળની ગેલેરીમાં બાળક રમતું હતું, થોડી મિનીટ રમ્યું અને પછી..


  • Published By :
  • Published Date : 2024-06-12 17:57:33

માતા પિતા દ્વારા કોઈ વખત રાખવામાં આવતી બેદરકારીની સજા બાળકને ભોગવવી પડે છે.. રમતા રમતા બાળક કઈ એવી વસ્તુ કરી બેસે છે જેના કારણે તેનું મોત પણ થઈ જાય છે. અનેક કિસ્સા આપણી સામે છે જેમાં બાળક સિક્કો ગળી ગયો હોય અથવા તો કઈ વસ્તુ ગળી ગયો હોય જેને કારણે તેને પોતાના જીવને ગુમાવવો પડે છે.. ત્યારે સુરતથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાતમા માળથી પટકાતા બે વર્ષના માસુમ બાળકનું મોત થઈ ગયું છે. 


રમત રમતમાં બાળકો પોતાના જીવને જોખમમાં મૂકે છે..

બાળકો નાના હોય ત્યારે તેમની પર વધારે ધ્યાન રાખવું પડતું હોય છે.. નાના બાળકોને ખબર ના હોય કે કઈ વસ્તુ કરાય અને કઈ વસ્તુ ના કરાય. રમતા રમતા બાળક એવી જગ્યા પર પહોંચી જાય છે અને તેની સાથે દુર્ઘટના સર્જાઈ જાય છે તેવી ઘટનાઓ આપણી સામે છે. રમત રમતમાં બાળક પોતાના જીવન સાથે રમત કરી જાય છે.. સુરતથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના સુરતના પાલ વિસ્તારમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગની છે જ્યાં બે વર્ષનું બાળક સાતમા માળેથી નીચે પટકાઈ જાય છે.. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પંરતુ તેનું મોત થઈ જાય છે..


સાતમા માળેથી નીચે પટકાયો બાળક અને થઈ ગયું મોત

જે માહિતી સામે આવી છે તે મુજબ હાઉસકીપિંગનું કામ કરતી માતા પોતાના બાળક સાથે બિલ્ડીંગમાં આવે છે. માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી.માતા સાતમા માળે કામ કરી રહી હતી અને બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું.. અચાનક બાળક રેલિંગને ઓળંગી ગયો અને સાતમા માળેથી નીચે પટકાઈ ગયો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે વિચલીત કરી શકે તેમ છે. બાળકનું કરૂણ મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે