Ahmedabadમાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, પોલીસકર્મીને કરાયો ટ્રાફિક પોલીસના હવાલે, જાણો ક્યાં સર્જાયો અકસ્માત?


  • Published By :
  • Published Date : 2024-01-23 12:02:31

અકસ્માત થવો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ ગયા છે. બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનોને કારણે અનેક પરિવાર પોતાના સભ્યને ગુમાવે છે. આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં એક અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. અને જે વ્યક્તિથી આ અકસ્માત સર્જાયો છે તે નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ વાઘેલા છે. પ્રાથમિક માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો.  

News18 Gujarati

અકસ્માતમાં ટળી જાનહાની!

અમદાવાદમાં નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. ગાડી સ્પીડમાં હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી માહિતી મળી છે. અને જે વ્યક્તિએ આ અકસ્માત સર્જ્યો છે તે પોલીસ કોન્સ્ટેબલ હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે નથી આવી પરંતુ પોલીસ કોન્સ્ટેબલની ગાડીને નુકસાન થયું છે. 

News18 Gujarati


પોલીસ કોન્સ્ટેબલને કરાયો ટ્રાફિક પોલીસને હવાલે!

લોકો દ્વારા એવા પણ આક્ષેપો કરાયા હતા કે પોલીસ કર્મી નશાની હાલતમાં હતો અને ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. અકસ્માતને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં હાજર થઈ ગયા. સ્થાનિકો સાથે બોલાચાલી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે. પોલીસકર્મીને ટ્રાફિક પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 


કાયદાનું પાલન કરાવનાર અનેક વખત કરે છે કાયદાનો ભંગ!

મહત્વનું છે કે જેમની પર  કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે જ જો કાયદાનો ભંગ કરશે તો? અનેક વખત હેલ્મેટ વગર વાહન ચલાવતા આપણે પોલીસકર્મી દેખાય છે તો કોઈ વખત તોડ કરતા પોલીસકર્મી દેખાય છે! ત્યારે આજે ફરી એક વખત પોલીસ વિભાગ ચર્ચામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની માહિતી  સામે આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!