લુણાવાડાની સરકારી પ્રાથમિક શાળામાં માતૃપિતૃ દિવસે આસારામનો ફોટો મૂકી કરાઈ પૂજા, ઉજવણીના ફોટા સામે આવતા સર્જાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-18 08:48:49

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી જામાંપગીના મુવાડા સરકારી પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. અનેક ફોટા તેમજ વીડિયો  સામે આવ્યા છે જેમાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરીએ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આ શાળામાં આ દિવસની ઉજવણી કરાઈ હતી પરંતુ આ કાર્યક્રમ દરમિયાન આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો. ફૂલ હાર ચઢાવી તેની આરતી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ફોટો અને વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. બળાત્કારની સજા ભોગવતા આસારામની શાળામાં પૂજા કરવી કેટલી યોગ્યએ સવાલ હાલ ઉદભવી રહ્યો છે.


ખુરશી પર ફોટો મૂકી કરાઈ રહી હતી આસારામની આરતી   

14 ફેબ્રુઆરીએ અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. તો અનેક સ્થળો પર માતા પિતાની પૂજા કરવામાં આવે છે. એ દિવસને માતૃ પિતૃ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક શાળામાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડાની એક પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા પિતાની પૂજા તો કરવામાં આવી પરંતુ બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પણ પૂજા કરવામાં આવી હતી. અનેક ફોટા તેમજ વીડિયો સામે આવ્યા છે જેમાં આસારામની તસવીર રાખીને તેમની આરતી કરવામાં આવી રહી છે. 


બેનરમાં પણ કરાયો હતો આસારામનો ઉલ્લેખ 

આ કાર્યક્રમ માટે બેનર પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું તે પૂજ્ય સંતશ્રી આસારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસે આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ. ઉજવણીના ફોટા અને વિડીયો સામે આવ્યા છે જે બાદ વિવાદ છેડાયો છે. વીડિયોમાં લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. 




સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવી કેટલી યોગ્ય?

વિદ્યાર્થીઓ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આસારામની આરતી ઉતારી હતી. આસારામનો ફોટો મૂકાતા તેમજ તેમની આરતી ઉતારવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. માતૃ પિતૃ દિવસની ઉજવણી દરમિયાન આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા હોવાની આ ઘટના બીજી છે. આ પહેલા કડાણા તાલુકાની રાણકપુરની સરકારી પ્રાથમિક શાળાથી પણ આ પ્રકારની તસવીરો સામે આવી હતી. જેમાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી હતી. ત્યારે મહિસાગરની આ બીજી શાળા છે જ્યાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્નએ થાય કે શા માટે સરકારી શાળામાં આ દોષીયોની પૂજા કરવામાં આવી રહી છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી ઉતારવી એ પણ સરકારી શાળાના પ્રાંગણમાં કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે.    



 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!