સુશાંતસિંહ રાજપૂત કેસમાં આવ્યો નવો વળાંક! મહારાષ્ટ્રના ડે.સીએમએ કેસ અંગે કહી આ વાત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:05:26

14 જૂન 2020નો એ દિવસ હતો.. દેશભરમાં કોરોના મહામારી તેની ચરમસીમા પર હતી. આપણે સૌ લોકડાઉનની કેદમાં હતા...અને આવા માહોલમાં અચાનક એક સમાચાર આવે છે..કે બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ડેડબોડી તેના ફ્લેટમાંથી મળી આવી.. પહેલીવારમાં તો વિશ્વાસ જ ન બેસે એવા આ સમાચાર હતા પરંતુ વારંવાર આ ઘટનાને ટીવી પર જોયા પછી ધીમે ધીમે સુશાંતના ચાહકોમાં એક આઘાતની લાગણી છવાઇ ગઇ હતી..આખું બોલીવુડ શંકાના દાયરામાં આવી ગયું.


સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં દેવેન્દ્ર ફડણવીસે કહી આ વાત

ન્યુઝચેનલોની ભૂમિકાની આકરી ટીકા થઇ.. સુશાંતના મોત સાથે જોડાયેલી તમામ બાબતોએ દેશમાં એવી તો ચકચાર મચાવી કે કોરોના મહામારી પછીના સૌથી મહત્વના સમાચાર સુશાંતને લગતા સમાચારો હતા.. આટલો સમય વીતિ ગયો પણ છેવટે શું પરિણામ? 3 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો અને હજુ સુધી એ સત્ય બહાર આવી શક્યું નથી કે સુશાંત સાથે આખરે શું થયું.. અને હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વનું નિવેદન આપ્યું છે જેને લઇને સુશાંતના ચાહકોમાં આશા જાગી છે કે કદાચ આવનારા દિવસોમાં સત્ય બહાર આવશે.. 


વર્ષ 2020માં ફ્લેટમાંથી મળી હતી સુશાંતની લાશ 

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ એક ન્યુઝચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા જેમાં તેમને સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.. જેના જવાબમાં તેમણે કહ્યું છે કે આ કેસની તપાસમાં કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે.. આ તમામ પુરાવાની વિશ્વસનીયતા તપાસવામાં આવી રહી છે.. અમને કેટલાક લોકો મળ્યા છે કે જેમની પાસે આ કેસને લગતી ખૂબ મહત્વની વિગતો છે.. સુશાંત સિંહ રાજપૂતનો તેના ફલેટમાંથી વર્ષ 2020માં મૃતદેહ મળી આવ્યો હતો.. 


નક્કર પુરાવા નથી લાગ્યા પોલીસના હાથમાં

અને તે પછી તેના અપમૃત્યુને લગતી અનેક અફવાઓ વહેતી થઇ જેમાં તેની પર્સનલ રિલેશનશીપ અને બોલીવુડમાં તેના પ્રોફેશનલ સંબંધોની તેના જીવનમાં જે પ્રકારની ભૂમિકા હતી તેના આધાર પર અનેક લોકો સામે સુશાંતની હત્યા કરવાના આરોપો લાગ્યા.. અત્યાર સુધી આ તમામ અફવાઓના આધારે તપાસ થતી રહી પરંતુ નક્કર પુરાવા પોલીસને હાથ લાગ્યા નહિ. આ વર્ષે જાન્યુઆરીમાં સુશાંત કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સુશાંતના મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થઇ રહ્યું હતું ત્યારે ઓટોપ્સીની ટીમના એક મેમ્બરે દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે.. આ કર્મચારીએ કહ્યું કે જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેની ગરદન અને શરીરના કેટલાક ભાગો પર ઈજાનાં નિશાન હતાં.


 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે