સુશાંતસિંહ રાજપૂત કેસમાં આવ્યો નવો વળાંક! મહારાષ્ટ્રના ડે.સીએમએ કેસ અંગે કહી આ વાત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:05:26

14 જૂન 2020નો એ દિવસ હતો.. દેશભરમાં કોરોના મહામારી તેની ચરમસીમા પર હતી. આપણે સૌ લોકડાઉનની કેદમાં હતા...અને આવા માહોલમાં અચાનક એક સમાચાર આવે છે..કે બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ડેડબોડી તેના ફ્લેટમાંથી મળી આવી.. પહેલીવારમાં તો વિશ્વાસ જ ન બેસે એવા આ સમાચાર હતા પરંતુ વારંવાર આ ઘટનાને ટીવી પર જોયા પછી ધીમે ધીમે સુશાંતના ચાહકોમાં એક આઘાતની લાગણી છવાઇ ગઇ હતી..આખું બોલીવુડ શંકાના દાયરામાં આવી ગયું.


સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં દેવેન્દ્ર ફડણવીસે કહી આ વાત

ન્યુઝચેનલોની ભૂમિકાની આકરી ટીકા થઇ.. સુશાંતના મોત સાથે જોડાયેલી તમામ બાબતોએ દેશમાં એવી તો ચકચાર મચાવી કે કોરોના મહામારી પછીના સૌથી મહત્વના સમાચાર સુશાંતને લગતા સમાચારો હતા.. આટલો સમય વીતિ ગયો પણ છેવટે શું પરિણામ? 3 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો અને હજુ સુધી એ સત્ય બહાર આવી શક્યું નથી કે સુશાંત સાથે આખરે શું થયું.. અને હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વનું નિવેદન આપ્યું છે જેને લઇને સુશાંતના ચાહકોમાં આશા જાગી છે કે કદાચ આવનારા દિવસોમાં સત્ય બહાર આવશે.. 


વર્ષ 2020માં ફ્લેટમાંથી મળી હતી સુશાંતની લાશ 

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ એક ન્યુઝચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા જેમાં તેમને સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.. જેના જવાબમાં તેમણે કહ્યું છે કે આ કેસની તપાસમાં કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે.. આ તમામ પુરાવાની વિશ્વસનીયતા તપાસવામાં આવી રહી છે.. અમને કેટલાક લોકો મળ્યા છે કે જેમની પાસે આ કેસને લગતી ખૂબ મહત્વની વિગતો છે.. સુશાંત સિંહ રાજપૂતનો તેના ફલેટમાંથી વર્ષ 2020માં મૃતદેહ મળી આવ્યો હતો.. 


નક્કર પુરાવા નથી લાગ્યા પોલીસના હાથમાં

અને તે પછી તેના અપમૃત્યુને લગતી અનેક અફવાઓ વહેતી થઇ જેમાં તેની પર્સનલ રિલેશનશીપ અને બોલીવુડમાં તેના પ્રોફેશનલ સંબંધોની તેના જીવનમાં જે પ્રકારની ભૂમિકા હતી તેના આધાર પર અનેક લોકો સામે સુશાંતની હત્યા કરવાના આરોપો લાગ્યા.. અત્યાર સુધી આ તમામ અફવાઓના આધારે તપાસ થતી રહી પરંતુ નક્કર પુરાવા પોલીસને હાથ લાગ્યા નહિ. આ વર્ષે જાન્યુઆરીમાં સુશાંત કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સુશાંતના મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થઇ રહ્યું હતું ત્યારે ઓટોપ્સીની ટીમના એક મેમ્બરે દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે.. આ કર્મચારીએ કહ્યું કે જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેની ગરદન અને શરીરના કેટલાક ભાગો પર ઈજાનાં નિશાન હતાં.


 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.