પોલીસનો નવતર અભિગમ, ચાર રસ્તા પર લોકોને ગરમીથી રાહત મળે તે માટે લગાવાઈ મેટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-24 14:56:21

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.. કાળઝાળ ગરમીથી લોકોને રક્ષણ મળે તે માટે અમદાવાદના ચાર રસ્તાઓ પર મેટ લગાવવામાં આવી છે... ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા શહેરીજનોને આંશિક રાહત મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.. પોલીસની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે.. કમેન્ટમાં અનેક લોકોએ લખ્યું છે સિગ્નલનો ટાઈમ થોડો ઘટાડવો જોઈએ..તો કોઈએ જગ્યા સજેસ્ટ કરી છે કે આ જગ્યા પર વધારે ટ્રાફિક હોય છે.. 

અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે... તાપમાન 47 નજીક પહોંચવા આવ્યું છે. આગામી દિવસોમાં તાપમાન હજી વધારે વધશે તેવું અનુમાન છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. લોકોને ગરમીથી રક્ષણ મળે તે માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. બપોરના સમયે જ્યારે લોકો રસ્તા પર વાહન લઈને જતા હોય અને સિગ્નલ બંધ હોય ત્યારે ગરમીમાં ઉભા રહેવું પડતું હોય છે. 



અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો 

વૃક્ષો તો બહુ છે નહીં કે જેના છાંયડામાં આપણે ઉભા રહીએ ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર મેટ બાંધવામાં આવ્યા છે જેને કારણે લોકોને ગરમીથી રાહત મળે. અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે... 


અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

મહત્વનું છે પોલીસની કામગીરી પર અનેક વખત સવાલો થાય છે. અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં પોલીસ દ્વારા જાણે દાદાગીરી કરવામાં આવતી હોય તેવું લાગે છે. આશા રાખીએ કે આવી વ્યવસ્થા અનેક ચાર રસ્તાઓ પર કરવામાં આવે.. તાપમાનની વાત કરીએ તો એનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી અપીલ કરવામાં આવે છે. મહત્વનું છે કે તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.   




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.