છોટાઉદેપુરના કવાંટમાં તીરથી પડોશી ઉપર કરાયો હુમલો, મગજ-આંખની નસો સુધી પહોંચ્યું તીર


  • Published By :
  • Published Date : 2023-03-11 13:37:40

હુમલા થવાની ઘટનાઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતને લઈ લોકો જીવલેણ હુમલા કરી રહ્યા છે. કોઈ તલવારથી વાર કરે છે તો કોઈ ગોળીથી વાર કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાથી હુમલો કરવામાં આવી રહ્યો છે તેવો કિસ્સો છોટાઉદેપુરથી સામે આવ્યો છે. જેમાં પડોશીએ તીર દ્વારા દિલીપભાઈ નામના વ્યક્તિ પર હુમલો કર્યો છે. આજે પણ આદિવાસી લોકો તીર કામઠાનો ઉપયોગ કરી રહ્યા છે. 


તીર વડે કરાયો પાડોશી પર હુમલો 

એક તરફ સરકાર દ્વારા સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ હુમલા થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની નાની વાતોમાં લોકો હુમલો કરી જીવ લઈ રહ્યા છે. હુમલાવરો કોઈ વખત ચપ્પાના ઘા મારે તો કોઈ વખત બંદૂકના સહારે હુમલો કરવામાં આવતો હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓ પર હુમલા થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં પડોશીએ જ પોતાના પડોશી પર ધનુષ તીર વડે હુમલો કરવામાં આવ્યો છે.


તીર વાગતા મગજના ભાગે પહોંચી ઈજા 

આ ઘટના 9 માર્ચના રોજ બની હતી. છોટાઉદેપુરમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ત્યારે કવાંટ પાસે આવેલા ઉગલીયા ગામમાં પડોશીએ પડોશી પર તીર ધનુષ વડે હુમલો થયો છે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના 9 માર્ચે બની હતી. તીરના હુમલાને કારણે તીર તેમના કપાળના ભાગે વાગી ગયું હતું. આંખને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તીરને કારણે મગજમાં ઈજા પહોંચી હતી. સદનસીબે યુવકને બચાવી લેવામાં આવ્યો છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.