મહિના પહેલા CMએ કરોડોના ખર્ચે સુરેન્દ્રનગરને આપ્યું ST બસ સ્ટેન્ડ, કોંગ્રેસે જનતા રેડ કરી ખોલી સુવિધાના પોલ


  • Published By :
  • Published Date : 2023-05-28 17:03:01

હમણા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં 8.8 કરોડ રૂપિયાના ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું. પણ મહિનાની અંદર જ સુરેન્દ્રનગરને પહોંચેલી સરકારી સેવાનું સૂરસુરિયું થઈ ગયું. અગાઉ અટલ બ્રિજ અને મેટ્રો સ્ટેશનના પણ આવા હાલ ગુજરાત જોઈ ચૂક્યું છે પણ અહીં અલગ એ થયું કે કોંગ્રેસની સક્રિયતા દેખાઈ. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જનતા રેડ કરીને સરકારી સેવાનો ભાંડો ફોડ્યો. વિસ્તારથી વાત કરીએ સુરેન્દ્રનગરની સમસ્યા શું છે અને કોંગ્રેસના જનમંચ કાર્યક્રમથી વિધાનસભાની સીડી મળશે કે કેમ? 

કરોડોની કિંમતે બનેલા બસસ્ટેન્ડનો કોંગ્રેસે જોયો બૂરો હાલ!

સુરેન્દ્રનગરમાં 27 મેના દિવસે કોંગ્રેસ નેતા અમીત ચાવડાની હાજરીમાં જનતા રેડ થઈ. ચૂંટણી બાદથી વિધાનસભામાં અને પત્રકાર પરિષદ યોજી મુદ્દા ઉઠાવતી કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જોવા મળી. વિગતવાર વાત કરીએ તો એવી વાતો ચાલી હતી કે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું લોકાર્પણ અધૂરા કામો વચ્ચે કરી દેવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ હતો. તો અમિત ચાવડા સુરેન્દ્રનગરના લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા અને પ્રશ્નો સમજી રહ્યા હતા. કોંગ્રેસના નેતાના કાન સુધી એસટી બસ સ્ટેન્ડની પરિસ્થિતિની વાત પહોંચી. તો પરિસ્થિતિ ચકાસવા વરિષ્ઠ નેતા અમિત ચાવડા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જનતા રેડ કરી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા. જ્યાં પહોંચી તેમને ખબર પડી કે હમણા જ લોકાર્પણ થયેલા કરોડોના એસટી બસ સ્ટેન્ડમાં ઘણી બધી સમસ્યાઓ છે. એસટી બસ સ્ટેન્ડમાં પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા નહોતા જોવા મળ્યા. બસ સ્ટેન્ડના શૌચાલયો પર તો રીત સરના તાળા લટકતા હતા. ગુજરાત સરકારે જે નળથી જલ યોજના અંતર્ગત ગુજરાતના સો ટકા ઘર સુધી પાણી પહોંચ્યું છે તેવા નળની ચકાસણી કરી તો નળ જ ગાયબ હતા. લોકો નળની ચોરી કરી લીધી હતી. બસ સ્ટેન્ડમાં ભાડે દુકાનો રાખનાર વેપારીઓ સાથે વાત કરી તો ખબર પડી કે આવી પરિસ્થિતિમાં સરકારને લાખો રૂપિયા ચૂકવીને પણ ધંધો કરવા સુવિધાના નામે આવી કંઈક પરિસ્થિતિ મળી રહી છે. કોંગ્રેસને જનમંચ કાર્યક્રમમાં દારુ-જુગાર, ડોક્ટરોની સુવિધા, ખનન સહિતની અનેક સમસ્યાની ફરિયાદ પણ મળી હતી..

વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સૂપડાં થઈ ગયા છે સાફ!

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસ નેતા ગુજરાતના જિલ્લાઓ અને નગરપાલિકાઓમાં જનમંચ કાર્યક્રમ યોજી જનતાઓની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. આ સમસ્યાઓ કોંગ્રેસ આગામી સમયમાં સરકાર સામે મૂકશે. આપણે જાણીએ છીએ કે ગઈ વિધાનસભામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. 70માંથી 17 બેઠક સુધી કોંગ્રેસ સમેટાઈ ગઈ છે પણ હવે તે લોકો વચ્ચે જઈ ઉભી થવાનો પ્રયાસ કરી રહી છે. જે સરકારને ગુજરાતની જનતાએ 156 વિધાનસભાની સીટ અપાવી તેને ઢંઢોળી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ જનમંચ મારફતે લોકોના સવાલોને જનસભાથી વિધાનસભા પહોંચાડવા ઈચ્છે છે. ગુજરાત સ્થાપના દિવસ પર શરૂ કરેલા જનમંચ કેમ્પેઈનથી  હવે કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો હવે સમય જ બતાવશે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!