Sansadમાં આજે એવી ક્ષણ સર્જાઈ જેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય! PM Modiએ કોંગ્રેસના આ નેતાના કર્યા વખાણ, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-08 13:22:20

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્તા પક્ષ વિપક્ષ પર શાબ્દિક હુમલો કરે છે તો વિપક્ષ સત્તા પક્ષ પર હુમલો કરે છે. છેલ્લા ત્રણ દિવસથી પીએમ મોદી સંસદમાં ભાષણ આપે છે. લોકસભામાં જ્યારે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું જ્યારે કેટલી સીટો મળશે તેવી વાત કરી હતી જ્યારે ગઈકાલે જ્યારે રાજ્યસભામાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા પરંતુ આજે જ્યારે પીએમ મોદી રાજ્યસભામાં બોલ્યા ત્યારે તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો, મનમોહનસિંહને યાદ કર્યા હતા. ડો. મનમોહન સિંહના કામોની પ્રશંસા કરી હતી. 

ડો.મનમોહન સિંહને પીએમ મોદીએ કર્યા યાદ 

રાજ્યસભામાં આજે અનેક સાંસદોની વિદાય થવાની છે. રાજ્યસભામાં આજે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર તો કર્યા પરંતુ સાથે સાથે તેમણે મનમોહનસિંહને યાદ પણ કર્યા હતા. મનમોહનસિંહની પણ આજે સંસદમાંથી વિદાય હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પૂર્વપીએમ દ્વારા કરવામાં આવેલા કાર્યોના વખાણ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે મનમોહન સિંહ લોકતંત્રને તાકાત આપે છે. મહત્વનું છે સંસદમાં ડો.મનમોહનસિંહ વ્હીલચેર પર બેસી પોતાનો વોટ આપવા આવ્યા હતા.  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.