અમદાવાદના અમરાઈવાડીમાં આધેડે આપઘાત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:08:33

અમદાવાદના ખોખરા સર્કલ નજીકના પારિષ્કાર-2 એપાર્ટમેન્ટના ચોથા માળે 42 વર્ષના દિપક ઘનશ્યામ પટેલ નામના આધેડે અજાણ્યા કારણોસર આપઘાત કર્યો. ચારેક દિવસથી પાડોશી લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે એપાર્ટમેન્ટના રૂમમાં તપાસ કરી ત્યારે યુવકની લાશ જોવા મળી હતી. 


યુવકે શા માટે આપઘાત કર્યો?

અસહ્ય દુર્ગંધ મારતા પાડોશી લોકોએ અમરાઈવાડી પોલીસને બપોરે જાણકારી આપી હતી. મૃતકના પરિવારજનો મામલે હાલ કોઈ માહિતી નથી મળી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. યુવકે શા માટે આપઘાત કર્યો છે તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી દીધી છે.  


ગુજરાતમાં વધતા આપઘાત

ગુજરાતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ ભાવનગરના ખાનગી ડોક્ટરે અગમ્ય કારણોસર પોતાના ક્લિનિકના બંધ રૂમમાં આપઘાત કરી લીધો હતો. અમદાવાદમાં પોલસ કર્મચારીએ સામુહિક આપઘાત કર્યાનો બનાવ પણ ટૂંક સમય પહેલા બન્યો હતો. જેનાથી સમગ્ર પોલીસ બેડામાં દુઃખની લાગણી વહી છે. ત્યારે આજે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આપઘાતના સમાચાર સામે આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ અને પોલીસ તપાસ બાદ આધેડે શા માટે આપઘાત કર્યો હતો તે મામલે જાણ થશે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.