ચૂંટણી પૂર્વે યોજાઈ અર્બુદા સેનાની બેઠક, કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન ન આપવાની કરાઈ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-15 11:39:01

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. ચૂંટણી પહેલા અનેક સમાજો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે અર્બુદા સેનાએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. એવી અટકળો વહેતી થઈ હતી કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. પરંતુ આ અટકળોનો અંત આવ્યો છે. વિપુલ ચૌધરીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. 

Image

Image

પાઘડી રાખી યોજ્યું સંમેલન

ચૂંટણી પહેલા અનેક રાજકીય ઉથલ-પાથલ જોવા મળી રહી છે. દરેક પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે માણસાના ચરાડામાં અર્બુદા સેના ગુજરાત સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરી ન વર્તાય તે માટે વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાન પર  પાઘડી રાખવામાં આવી હતી.   

અર્બુદા સેના નથી આપવાની રાજકીય પાર્ટીને સમર્થન 

ચૂંટણી પૂર્વે અર્બુદા સેનાએ કોઈ પણ પક્ષને સમર્થન ન આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન માત્ર સામાજીક મુદ્દાઓને લઈ યોજાઈ છે. અર્બુદા સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અર્બુદા સેના કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્થન નથી આપવાની. માત્ર બીન રાજકીય સંગઠન તરીકે કામ કરશે. ઉપરાંત વિપુલ ચૌધરી પણ ચૂંટણી નથી લડવાના તેવી પણ જાહેરાત કરવામાં આવી છેે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.