Shankarsinh Vaghela અને છોટુ વસાવા વચ્ચે થઈ બેઠક, શું Bharuch Loksabha બેઠક પર નવા જુનીના એંધાણ? જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-04-11 16:47:02

ગુજરાતમાં અત્યારે હિટવેવ ચાલી રહી  છે અને રાજનીતિમાં પણ કંઈક એટલી જ ગરમી છે. ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.  અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગેલી છે તો કોંગ્રેસના પેચ ઘણી બેઠકો પર અટવાયેલા છે ત્યારે એક તસવીર સામે આવી છે જે વિચારવા પર મજબૂર કરે કે આ લોકસભા બેઠક પર કંઈક નવા જૂની થશે એ પાક્કું છે...! અમે વાત કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની જ્યાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે, છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે બેઠક થઈ હતી અને ત્યાંની તસવીરો સામે આવી હતી.  

શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થઈ હતી બેઠક 

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ હાજર હતા આ બેઠક ગાંધીનગરમાં શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવાની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન અત્યારે બધા લગાવી રહ્યા છે. 


છોટુ વસાવાએ પણ ઉતાર્યા છે ઉમેદવારને મેદાનમાં 

ભરૂચ લોકસભા બેઠક જે હમેશા ચર્ચામાં રહેતી હોય છે, કોઈ વખત મનસુખ વસાવાને કારણે કે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે... પરંતુ આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. તો વળી BAPએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર વસાવા vs વસાવાની જંગ રસપ્રદ થવાની છે. ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામેની પરાજય બાદથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. 

ભરૂચ લોકસભા સીટ રહેશે ચર્ચામાં કારણ કે... 

ગુજરાતની મુખ્યત્વેની બેઠકો એવી છે જ્યાં બે ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ચિત્ર કંઈક અલગ છે એટલે જ વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે. મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભરૂચ એ હોટ સીટ રહેવાની છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા પણ આ વખતે સામે ચૈતર વસાવા છે એટલે આ ગણતરીઓમાં ઘણો ફેર પડી શકે છે... ત્યારે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થયેલી બેઠકને કારણે રાજનીતિ ગરમાઈ છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.