Uttrakhandમાં સર્જાઈ મોટી દુર્ઘટના, યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્બેલ! આટલા શ્રમિકોના જીવ સંકટમાં!


  • Published By :
  • Published Date : 2023-11-12 13:00:14

દેશના અનેક રાજ્યોમાં ટનલ બનાવાની કામગીરી ચાલી રહી છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નિર્માણ પામી રહેલી બિલ્ડીંગ, બ્રિજો,ટનલ તૂટી પડતા હોય છે. ત્યારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. એક ભાગ તૂટી પડતા તેની નીચે અનેક શ્રમિકો ફસાયા છે તેવી જાણકારી પણ સામે આવી છે. દુર્ઘટના સર્જાયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની નથી થઈ. પરંતુ જાનહાની નહીં જ થઈ હોય તેવી સંભાવના નથી.! 

નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્લેબ! 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે નિર્માણાધીન ટનલનો એક સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં અનેક શ્રમિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. બ્રહ્મખાલ-યમનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સ્લેબ નીચે 40 જેટલા મજૂરો ફસાયા છે. ઘટનાની જાણ થતા જ બચાવની કામગીરી શરૂ થઈ ગઈ છે. શ્રમિકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ક્યાં સર્જાઈ આ દુર્ઘટના? 

મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સવારે 5:00 વાગ્યે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા. ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર 2023 હતો, પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.