Uttrakhandમાં સર્જાઈ મોટી દુર્ઘટના, યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્બેલ! આટલા શ્રમિકોના જીવ સંકટમાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-12 13:00:14

દેશના અનેક રાજ્યોમાં ટનલ બનાવાની કામગીરી ચાલી રહી છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નિર્માણ પામી રહેલી બિલ્ડીંગ, બ્રિજો,ટનલ તૂટી પડતા હોય છે. ત્યારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. એક ભાગ તૂટી પડતા તેની નીચે અનેક શ્રમિકો ફસાયા છે તેવી જાણકારી પણ સામે આવી છે. દુર્ઘટના સર્જાયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની નથી થઈ. પરંતુ જાનહાની નહીં જ થઈ હોય તેવી સંભાવના નથી.! 

નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્લેબ! 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે નિર્માણાધીન ટનલનો એક સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં અનેક શ્રમિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. બ્રહ્મખાલ-યમનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સ્લેબ નીચે 40 જેટલા મજૂરો ફસાયા છે. ઘટનાની જાણ થતા જ બચાવની કામગીરી શરૂ થઈ ગઈ છે. શ્રમિકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ક્યાં સર્જાઈ આ દુર્ઘટના? 

મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સવારે 5:00 વાગ્યે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા. ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર 2023 હતો, પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.      



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.