મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ફાઈટર પ્લેન સુખોઈ-30 અને મિરાજ-2000 થયું ક્રેશ


  • Published By :
  • Published Date : 2023-01-28 11:50:06

મધ્યપ્રદેશમાં વાયુસેનાના ફાઈટર જેટ ક્રેશ થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુખોઈ 30 અને મિરાજ 2000 એકબીજા સાથે ભટકાયા હતા જેને કારણે દુર્ઘટના સર્જાઈ છે. પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર હવામાં પ્લેનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. બંને પ્લેને ગ્વાલિયર એર બેઝથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તેવું માનવામાં આવી રહ્યું છે.

 

ફાઈટર જેટ આકાશમાં હતું તે દરમિયાન આગ લાગી  

વાયુસેનાનું પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા પોલીસ અને સેનાના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. આમાં કેટલા પાયલટ હાજર હતા કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આગરાથી ફાઈટર જેટે ઉડાન ભરી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.