રાજસ્થાનના જોધપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:02:53

રાજસ્થાનના જોધપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ કીર્તિનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. સિલિન્ડર બ્લાસ્ટ થતા 16 લોકો ઘાયલ થયા છે અને 4 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાને કારણે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોધપુરના માતા કા થાન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ગેસ બ્લાસ્ટ થવાને કારણે ઘણા વાહનો સળગી ગયા છે. ઘટનામાં ઘાયલ થતા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

મુખ્યમંત્રી ગેહલોતે ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની નોંધ લીધી હતી. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે જોધપુરના મગરા પૂંજલા વિસ્તારના કિર્તી નગરમાં ગેસ સિલિન્ડરને કારણે 4 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા વિશે જાણીને દુ:ખ થયું છે. સ્થાનિક પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી દેવાઈ છે.

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.