Bhavnagarમાં સર્જાઈ મોટી દુર્ઘટના, માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દબાયા


  • Published By :
  • Published Date : 2023-08-02 15:00:14

ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. જેમાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન અનેક વખત આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દિવાલો ધરાશાયી થતા, નિર્માણાધીન મકાનો તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થતાં હોય છે જેને લઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માધવહિલ કોમ્પલેક્ષમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે તેવી માહિતી હાલ સામે આવી છે.  

Bhavnagar: 10 to 15 people feared buried in debris after building collapse in Bhavnagar Bhavnagar:  જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના, 10થી 15 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દુર્ઘટના સર્જાવાને કારણે લોકો કાળનો કોળિયો બને છે. દિવાલ ધરાશાયી, જર્જરિત મકાન ધરાશાયી થતી હોવાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં આવી દુર્ઘટના સર્જાતી હતી. તે બાદ જૂનાગઢમાં પણ આવી ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ભાવનગરમાં બિલ્ડીંગના પાછળનો ભાગ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ કાટમાળ નીચે 10થી 15 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક  વ્યક્તિનું મોત થઈ ગયું હોય છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જે લોકો દટાયા છે તેમની હાલત ગંભીર છે તેવી માહિતી હાલ સામે  આવી રહી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.