પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન વખતે સર્જાઈ મોટી દુર્ઘટના, પાણીમાં ડૂબી જતા 8 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:47:02

નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિ પંડાલમાં લાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીનો અનેરો મહિમા રહેલો છે. અનેક સ્થળો પર દુર્ગા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે દશેરા દિવસે મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મલ નદીમાં પાણી છોડાતા મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 8 લોકો પાણીમાં ડૂબી ગયા છે. અને 20થી 22 લોકો ગુમ થવા હોવાની આશંકા દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ડ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મૂર્તિ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના

દશેરાના દિવસે માતાજીની મૂર્તિને વિદાય આપવામાં આવે છે. પાણીમાં દુર્ગા માતાની પ્રતિમાને પધરાવવામાં આવે છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે મૂર્તિ વિસર્જન કરવા ગયેલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા. વધારે પાણીનો પ્રવાહ આવતા તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે આવી બચાવવાની કોશિશ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે આ ઘટનામાં 8 લોકોનાં મોત થયો છે. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 40 જેટલા લોકો હજુ પણ ટાપુ પર ફસાયા છે.

 

વડાપ્રધાન મોદીએ લીધી ઘટનાની નોંધ

આ દુર્ઘટનાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતા તેમણે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વિટ કરતા લખ્યું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુ:ખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.     


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.